પૂજા બૅનરજી કુમકુમ ભાગ્યના સેટ પર સેલિબ્રેટ કરશે દુર્ગાપૂજા

25 October, 2020 06:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા બૅનરજી કુમકુમ ભાગ્યના સેટ પર સેલિબ્રેટ કરશે દુર્ગાપૂજા

પૂજા બૅનરજી

ઝીટીવી પર આવતા શો ‘કુમકુમ ભાગ્ય’ના સેટ પર  આ વર્ષે દુર્ગાપૂજા અને નવરાત્રિ સેલિબ્રેટ કરતી જોવા મળશે પૂજા બૅનરજી. તે આ શોમાં રિયાનું પાત્ર ભજવી રહી છે. પૂજા દર વર્ષે તેની ફૅમિલી સાથે આ તહેવાર સેલિબ્રેટ કરશે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે એ શક્ય નથી એથી તે સેટ પર ટીમ સાથે એ સેલિબ્રેટ કરશે. આ વિશે વાત કરતાં પૂજાએ કહ્યું હતું કે ‘આ વર્ષે હું દુર્ગાપૂજા અને નવરાત્રિ નહીં સેલિબ્રેટ કરી શકું એને લઈને ખૂબ દુખી છું. હું બાળક હતી ત્યારથી આ તહેવાર સેલિબ્રેટ કરી રહી છું. આ તહેરવા દરમ્યાન હું મારી ફૅમિલીને મળતી હતી. જોકે આ કોરોના વાઇરસને કારણે આ વર્ષે એ શક્ય નથી. આથી આ વર્ષે હું મારા ફૅમિલી-મેમ્બર્સ અને મારી મમ્મીએ બનાવેલા ભોગને મિસ કરી રહી છું. અમે અમારા દિલ્હીના ઘરમાં દુર્ગાપૂજા કરીએ છીએ, પરંતુ હું એ પણ આ વર્ષે અટેન્ડ કરી શકું એમ નથી. પંડાલમાં જવાની તો વાત જ દૂર છે. મને ખબર છે કે કોરોના વાઇરસ હજી પણ એટલો જ ફેલાયેલો છે. હું વર્ચ્યુઅલી મારા ઘરની દુર્ગાપૂજામાં હાજર રહીશ. હું ‘કુમકુમ ભાગ્ય’ના સેટ પર મારા ક્રૂ-મેમ્બર્સ અને કો-સ્ટાર સાથે નવરાત્રિ સેલિબ્રેટ કરી રહી છું.’

entertainment news indian television television news tv show zee tv