25 June, 2020 07:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાર્તિક અને નાયરા
કોરોના વાઈરસના કારણે લાગૂ થયેલા લૉકડાઉન વચ્ચે મુંબઈમાં ટીવી સીરિયલ્સની પણ શૂટિંગ બંધ છે. એવામાં સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની એક્ટ્રેસ શિવાંગી જોશી ઉર્ફ નાયરા ગોયનકા હાલ પોતાના હોમટાઉન દેહરાદૂરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે ઘરે પોતાની મુંબઈની શૂટિંગને મિસ કરી રહી છે. હાલ શિવાંગી જોશીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર તે જલદી 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'શૉને બાય બાય કહેવા જઈ રહી છે.
એક રિપોર્ટ મુજબ લૉકડાઉન બાદ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'શૉના મેકર્સ કઈ નવુ પ્લાન કરી રહ્યા છે. શૉની નવી સ્ટોરી લાઈનમાં નવી એક્ટ્રેસની એન્ટ્રી થશે અને પછી ધીરે-ધીરે એ એક્ટ્રેસ અને કાર્તિક (મોહસિન ખાન)ન વચ્ચે કેમિસ્ટ્રી બનશે. સાથે જ નાયરાના રોલને સાઈડમાં મૂકી દેશે.
જણાવી દઈએ કે આ વિશે અત્યાર સુધી શૉના મેકર્સ અને શિવાંગી જોશીએ કોઈ કમેન્ટ નથી કરી. હવે આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી એ તો શિવાંગી જ બતાવી શકે છે અને જો આ સમાચાર સાચા થયા તો શિવાંગી અને શૉના ફૅન્સને એનાથી મોટો ઝટકો લાગી શકે છે કારણકે શિવાંગી ઘણા સમયથી શૉ સાથે જોડાયેલી છે.
આ પણ જુઓ : Shivangi Joshi: યે રિશ્તા ક્યા કહેલાતાની 'નાયરા' છે આટલી ગ્લેમરસ
એટલું જ નહીં શિવાંગીએ નાયરના રોલને ફૅન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી દીધી છે. જણાવી દઈએ કે શિવાંગી આ શૉમાં 2016થી જોડાયેલી છે.
હાલ શિવાંગી જોશી પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. જોકે ઘરમાં રહીને પણ તે પોતાના મજેદાર વીડિયોઝ દ્વારા ફૅન્સનું મનોરંજન કરતી રહે છે.