પ્રેમબંધનની જાનકી એટલે રામાયણનાં સીતામૈયા

01 December, 2020 07:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રેમબંધનની જાનકી એટલે રામાયણનાં સીતામૈયા

છવિ પાન્ડે

દંગલ ચૅનલના શો ‘પ્રેમબંધન’માં છવિ પાન્ડે જે કૅરૅક્ટર કરે છે એ જાનકી શ્રીવાસ્તવનું કૅરૅક્ટર અન્ય કોઈ જગ્યાએથી નહીં પણ રામાયણનાં સીતાજી પરથી પ્રેરિત છે. જાનકીને પણ એવી જ વિટંબણાઓ છે જેવી સીતામાની લાઇફમાં આવી હતી. છવિએ કહ્યું હતું, ‘સીતાનું બીજું નામ જ જાનકી છે. જાનકી પર આખી ફૅમિલીની જવાબદારી છે અને એક તબક્કે એવી સિચુએશન આવીને ઊભી રહી જાય છે કે સીતામાની જેમ જ જાનકીએ પણ તેના ચરિત્ર પર આક્ષેપો સહન કરવાના આવે છે અને એ આક્ષેપોમાંથી તેણે પાર નીકળવાનું છે.’

‘પ્રેમબંધન’ એકતા કપૂરનો શો છે એટલે નૅચરલી એ શોમાં અનેક પ્રકારના ઉતારચડાવ છે. છવિએ કહ્યું હતું, ‘મને સૌથી મોટી ખાસિયત આ શોની એ દેખાય છે કે આ એક સરળ અને સીધીસાદી લવ સ્ટોરી નથી, પ્રેમ પણ છે અને એમાં નફરત પણ છે. નફરત વચ્ચે પણ પ્રેમભાવ અકબંધ રહે છે. એવી જ રીતે જેવી રીતે રામાયણમાં બનતું તમને અનેક જગ્યાએ જોવા મળે છે.’

entertainment news television news indian television tv show