દહેજ કેટલાક રાજ્યમાં સામાન્ય હોવાથી શોને સ્વીકારવામાં નથી આવ્યો

26 April, 2024 06:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુછ રીત જગત કી ઐસી હો બંધ થઈ રહ્યો હોવા વિશે જમનાદાસ મજીઠિયાએ કહ્યું...

જમનદાસ મજેઠીયા

જમનાદાસ મજીઠિયાનું કહેવું છે કે કેટલાંક રાજ્ય તેમના શો ‘કુછ રીત જગત કી ઐસી હો’ને સ્વીકારી નહીં શક્યાં હોવાથી એ બંધ થઈ રહ્યો છે. સોની ટીવી પર આ શો સાંજે સાડાઆઠ વાગ્યે આવી રહ્યો છે. ધીરુબહેન પટેલની ગુજરાતી નૉવેલ ‘એક ડાળ મીઠી’ પરથી આ શો બનાવવામાં આવ્યો છે. આ શોમાં એક મહિલા આપેલા દહેજને પાછું મેળવવાની કોશિશ કરે છે. આ વિશે વાત કરતાં જમનાદાસ મજીઠિયા કહે છે, ‘હા, આ શો બંધ થઈ રહ્યો છે. આ શો રેટિંગ્સના લીધે બંધ થઈ રહ્યો છે. રેટિંગ્સ સારા ન હોય તો એ શો ચલાવવામાં નહીં આવે. આ શો માટે મને ‘રામાયણ’ પહેલાંનો ખૂબ જ સારો સ્લૉટ મળ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ બાદ દરેક ચૅનલ નવા પ્રકારના શો લાવવાની કોશિશ કરશે અને એથી જ અમારો શો ૨૪ મેએ પૂરો થશે. અત્યારે અમારો શો એટલો પણ ખરાબ નથી. અમારો શો ખૂબ જ મહત્ત્વની વાત કરી રહ્યો છે. કેટલાંક રાજ્ય આ શોને સ્વીકારી નથી શક્યાં, કારણ કે ત્યાં દહેજની પ્રક્રિયા ખૂબ જ સામાન્ય છે.’

television news entertainment news JD Majethia indian television