KBC: કોન્ટેસ્ટન્ટે આ પ્રશ્ન પર છોડ્યો શૉ, શું તમને ખબર છે જવાબ?

06 November, 2020 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

KBC: કોન્ટેસ્ટન્ટે આ પ્રશ્ન પર છોડ્યો શૉ, શું તમને ખબર છે જવાબ?

ફાઈલ ફોટો

ગુંજન લતા વારાણસીની રહેવાસી છે. હાલ તે અમદાવાદમાં રહે છે. તે બૅન્કમાં જૉબ કરે છે અને એક દીકરાની મા છે. તેનાં લગ્નને 5 વર્ષ થઈ ગયા છે.

કેબીસીના ગુરુવારના એપિસોડમાં ગુંજન લતા હૉટ સીટ પર બેઠાં. તેમણે પોતાની રમત ખૂબ જ સારી રીતે રમી. તેમણે પહેલી લાઇફલાઇન 20 હજારના પ્રશ્ન પર વાપરી. 3 લાખ 20 હજારના સવાલ પર તેમણે પોતાની બે લાઇફલાઇન લઈ લીધી હતી. ગુંજને 6 લાખ 40 હજારના પ્રશ્ન પર વધુ એક લાઇફલાઇનનો ઉપયોગ કર્યો.

પ્રશ્ન હતો- તાનસેન સિવાય આમાંથી કોને હરિદાસના શિષ્ય માનવામાં આવે છે? ઑપ્શન હતા- સનાતન ગોસ્વામી, વિદ્યાપતિ, ચંડીદાસ, બૈજનાથ મિશ્ર.

સાચ્ચો જવાબ હતો- બૈજનાથ મિશ્ર.

આ સવાલ પર ગુંજને કર્યું ક્વિટ?

તેમણે 12 લાખ 50 હજારના સવાલ પર શૉ છોડી દીધો. 12 લાખ 50 હજારના સવાલ સુધી પહોંચવા માટે તેમની પાસે કોઇ લાઇફલાઇન બચી નહોતી.

સવાલ હતો મુંબઇનું નેવિલ હાઉસ આમાંથી કઇ કાપડ કંપનીનું મુખ્યાલય છે. ઑપ્શન હતા- રેમન્ડ, ટાટા ટેક્સાઇલ્સ, બિન્ની મિલ્સ, બૉમ્બે ડાઇંગ. સાચ્ચો જવાબ હતો બૉમ્બે ડાઇંગ

કોણ છે ગુંજન લતા?

ગુંજન લતા વારાણસીની રહેવાસી છે. હાલ તે અમદાવાદમાં રહે છે. તે બૅન્કમાં જૉબ કરે છે અને એક દીકરાની મા છે. તેમના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે.

કેબીસીને મળશે આ સીઝનની પહેલી કરોડપતિ

જણાવવાનું કે કૌન બનેગા કરોડપતિને આ સીઝનની પહેલી કરોડપતિ મળી ગઈ છે. શૉ સાથે જોડાયેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. પ્રોમોમાં દેખાઇ રહ્યું છે કે નાઝિયાએ એક કરોડના સવાલનો સાચ્ચો જવાબ આપી દીધો છે.  અમિતાભ બચ્ચન પણ પૂર જોશમાં આ જાહેરાત કરી રહ્યા છે કે તેમણે એક કરોડ રૂપિયા પોતાને નામ કરી લીધા છે. નાઝિયા આ સીઝનની પહેલી કરોડપતિ કોન્ટેસ્ટન્ટ બની ગઈ છે.

kaun banega crorepati amitabh bachchan indian television television news