કપિલ શર્મા શૉને લઈને નવજોત સિંહ સિદ્ધુએ પત્ર લખી અર્ચનનાને આપી ધમકી

08 May, 2019 12:41 PM IST  | 

કપિલ શર્મા શૉને લઈને નવજોત સિંહ સિદ્ધુએ પત્ર લખી અર્ચનનાને આપી ધમકી

નવજોત સિંહ સિદ્ધુએ લખ્યો અર્ચના સિંહને પત્ર

પુલવામાં હુમલા બાદ વિવાદાસ્પદ નિવેદન માટે શૉથી બહાર થયેલા નવજોત સિંહ સિદ્ધુને ધ કપિલ શર્મા શૉમાં ઘણીવાર યાદ કરવામાં આવે છે. શૉ દરમિયાન કપિલ શર્મા ઘણીવાર સિદ્ધુને યાદ કરીને અર્ચના પૂરણ સિંહની મજાક ઉડાવતો જોવા મળે છે. હાલ અર્ચના પૂરણ સિંહ ધ કપિલ શર્મા શૉમાં જજની ખુરશી પર બેઠા છે. જેના પર પહેલા નવજોત સિદ્ધુ બેસતા હતા. શનિવાર શૉ દરમિયાન કપિલ શર્મા એક પત્ર લઈને આવ્યા હતા. આ પત્ર અર્ચના પૂરણ સિંહ માટે નવજોત સિંહ સિદ્ધુએ લખ્યો હતો અને કપિલ શર્માને ખાસ કહ્યું હતું કે, આ પત્ર તે વાંચીને સંભળાવે.

પત્રમાં સિદ્ધુએ શું લખ્યું હતું...

આ પત્રમાં સિદ્ધુએ લખ્યું હતું કે, ડિયર અર્ચના, 'હું તમારા સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરુ છું. તમે ખુબ સારા છો. હું તમારી માટે ઘર છોડી શકું છું. મારુ કામ પણ છોડી શકું છું અને મારુ શહેર પણ છોડી શરુ છું પણ તમારે મારી ખુરશી છોડવી પડશે. તમારો પ્રિય નવજોત સિંહ સિદ્ધુ.' આ સાંભળતાની સાથે જ બધા હસવા લાગ્યા હતા.

આ પણ વાંચો: કપિલ શર્માએ કહ્યું, આ સ્ટાર્સના કારણે બન્યો કોમેડી સ્ટાર

પુલવામા અટેક પર સિદ્ધુએ વિવાદીત નિવેદન આપ્યું હતું

જણાવી દઈએ કે, નવજોત સિંહ સિદ્ધુની જગ્યાએ જ્યારે અર્ચના પૂરણ સિંહ શૉ પર આવી તો કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી કે, ચૂંટણી હોવાના કારણે નવજોત સિંહ શૉને સમય આપી શકે તેમ નથી. નવજોત સિંહને શૉમાંથી કાઢવામાં આવ્યા નથી. હાલમાં જ નવજોત સિંહના પુલવામામાં અટેક બાદ નિવેદનના કારણે નવજોત સિંહનો ભારે વિરોધ થયો હતો જેની અસર કપિલ શર્માના શૉ પર પણ પડી હતી.

navjot singh sidhu the kapil sharma show archana puran singh kapil sharma