09 August, 2020 12:53 PM IST | Mumbai Desk | Agencies
કંચન શર્મા
કંચન શર્મા ‘કહત હનુમાન જય શ્રીરામ’ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરવાની છે. ૨૦૧૩માં આવેલી ‘મહાભારત’ સિરિયલમાં શકુનિ બનનાર પ્રણીત ભટ્ટની તે વાઇફ છે. ‘કહત હનુમાન જય શ્રીરામ’માં તે શનિ ભગવાનની વાઇફ મંદાના રોલમાં જોવા મળશે. આ શો વિશે કંચન શર્માએ કહ્યું હતું કે ‘હું હંમેશાં સ્મૉલ સ્ક્રીન પર પૌરાણિક શો દ્વારા એન્ટ્રી કરવા માગતી હતી. હા, આના દ્વારા મારું સપનું પૂરું થયું છે. આ શોમાં હું શનિ ભગવાનની વાઇફ મંદાનો રોલ ભજવવાની છું. તે હંમેશાં હનુમાનની એક માની જેમ કાળજી લે છે. રિયલ લાઇફમાં હું ભગવાન શિવ, શનિ અને હનુમાનની ભક્ત છું. હું ૧૦ વર્ષથી મુંબઈમાં રહું છું. હું હંમેશાં હનુમાન મંદિરે જાઉં છું અને મારા માટે તો ભગવાન હનુમાનનો આ એક આશીર્વાદ છે કે મારી પસંદગી આ શો માટે થઈ છે.’