લાંબા સમય સુધી ચાલતા હોય એવા શો કરવા નથી પસંદ : ફહમાન ખાન

29 May, 2023 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવું જાણવા મળ્યું છે કે એકતા કપૂરના આ શોનો ૯ જૂને છેલ્લો એપિસોડ ઑન-ઍર કરવામાં આવશે.

ફહમાન ખાન

ફહમાન ખાનનું કહેવું છે કે તેને એવા શોમાં કામ નથી કરવું ગમતું જે જલદી ખતમ ન થાય. તેનો શો ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ પર ટૂંક સમયમાં પડદો પડી જવાનો છે. કલર્સ ટીવી પર ગયા વર્ષે આ શો શરૂ થયો હતો. એવું જાણવા મળ્યું છે કે એકતા કપૂરના આ શોનો ૯ જૂને છેલ્લો એપિસોડ ઑન-ઍર કરવામાં આવશે. એથી મૂવ-ઑન કરવા માટે તૈયાર ફહમાને કહ્યું કે ‘મને એવા શો કરવા નથી ગમતા જે જલદી પૂરા ન થાય. મને નવાં કૅરૅક્ટર્સ ભજવવાં અને એમાંથી નવું શીખવું ગમે છે. જો કોઈ ઍક્ટર એક જ પાત્ર લાંબા સમય સુધી ભજવતો હોય તો પછી એને લઈને વિવિધ ધારણાઓ કરવામાં આવે છે. પૂર્ણવિરામ તો દરેક જર્નીનો ભાગ છે. આ શોમાં મેં રવિ રંધાવાનો રોલ કરવાને એન્જૉય કર્યું છે. સ્ટોરીને જો વધુ લાંબી કરવામાં આવે તો એને નાહક ખેંચતા હોય એવું લાગે છે.’

entertainment news television news indian television colors tv