અરે બાપ રે! આ શું?‘ એ મેરે હમસફર’ માટે ટીના ફિલિપ 80 ટકા ધૂળ વચ્ચે દટાઈ

12 November, 2020 09:25 PM IST  |  Rajkot | Rashmin Shah

અરે બાપ રે! આ શું?‘ એ મેરે હમસફર’ માટે ટીના ફિલિપ 80 ટકા ધૂળ વચ્ચે દટાઈ

અરે બાપ રે! આ શું?‘ એ મેરે હમસફર’ માટે ટીના ફિલિપ 80 ટકા ધૂળ વચ્ચે દટાઈ

દંગલ ચૅનલના શો ‘એ મેરે હમસફર’માં વિધિનું લીડ કૅરૅક્ટર કરતી ટીના ફિલિપ માટે ગઈ કાલનો દિવસ ભારોભાર શારીરિક તકલીફવાળો રહ્યો. બન્યું એમાં એવું કે સિરિયલમાં પતિની લાંબી આવરદા માટે તેની પાસે એક વ્રત કરાવવામાં આવ્યું, જે વ્રત મુજબ વિધિએ એટલે કે ટીના ફિલિપે જમીનમાં દટાવાનું હતું. ટીનાને શરૂઆતમાં તો આ કામ સહેલું લાગ્યું પણ એ પછી જ્યારે તે ખાડામાં સૂતી અને તેના પર ધૂળ નાખવાનું શરૂ થયું કે તરત જ ટીનાના આખા શરીરમાં કમકમાટી છૂટી ગઈ.
ટીનાએ કહ્યું હતું, ‘મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતાં કબરમાં જઈશ અને મને દાટવામાં આવશે. આ સીન કરતી વખતે મારી હાલત વધારે ખરાબ ત્યાં થતી હતી કે મારે ચહેરા પર ડર નહોતો દેખાડવાનો.’ ટીના ફિલિપે આ સીન માટે ઓછામાં ઓછા ચાર કલાક ખાડામાં પોણી દટાયેલી હાલતમાં પસાર કર્યો, જે અનુભવ ટીના લાઇફમાં ક્યારેય ભૂલવાની નથી.

entertainment news Rashmin Shah television news