'કસૌટી ઝિંદગી કી'ની પ્રેરણા છેલ્લા ત્રણ મહિનાથી રસોઈ કેમ વધારે બનાવે?

25 June, 2020 10:04 PM IST  |  Mumbai | Rashmin Shah

'કસૌટી ઝિંદગી કી'ની પ્રેરણા છેલ્લા ત્રણ મહિનાથી રસોઈ કેમ વધારે બનાવે?

સ્ટાર પ્લસ પર આવતાં સુપરહિટ શો ‘કસૌટી ઝિંદગી કી’માં પ્રેરણાનું કૅરેક્ટર કરતી એરિકા ફર્નાન્ડિસ લૉકડાઉનમાં જ્યારથી ઘરે છે ત્યારથી તે રસોઈ વધારે બનાવે છે. દરરોજ અને નિયમિત. છેલ્લા ત્રણ મહિનાથી આ શિરસ્તો ચાલે છે. સવાર, બપોર અને સાંજ એમ ત્રણે-ત્રણ ટાઇમ તે વધારે રસોઈ બનાવે. આનું કારણ છે એની સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ. હા, એરિકા સોસાયટીના ગાર્ડ્સ માટે દરરોજ રસોઈ વધારે બનાવે છે અને જમવા બેસતાં પહેલાં તેના ઘરેથી ફૂડ ગાર્ડ્સને પહોંચે છે. એરિકા કહે છે ‘આપણે દૂરના લોકોની તકલીફો દૂર કરવા જતાં નજીકના લોકોની તકલીફો ભૂલી જતાં હોઈએ છીએ. આપણું ધ્યાન રાખતાં અને આપણી માટે ફૅમિલીથી દૂર રહીને પણ ડ્યુટી કરતાં ગાર્ડ્સને અગવડ ન પડે એ જોવાનું કામ આપણું છે.’

એરિકાએ આ જ વાત પોતાના સોશ્યલ મીડિયા પર પણ કહી હતી અને પોતાના ફેન્સને કહ્યું હતું કે તમારી સોસાયટીના ગાર્ડ્સ ભૂખ્યા ન રહે એ જોવાની જવાબદારી તમારી છે. એરિકાની આ પોસ્ટ પછી અનેક ફેને આ જવાબદારી ઉપાડી લીધી, જેની એરિકાને ખુશી પણ છે.

entertainment news television news indian television