Bigg Boss 13: ઘરના લોકોનો નિર્ણય, આરતી સિંહ નથી ઘરમાં રહેવા માટે લાયક

02 November, 2019 11:18 AM IST  |  મુંબઈ

Bigg Boss 13: ઘરના લોકોનો નિર્ણય, આરતી સિંહ નથી ઘરમાં રહેવા માટે લાયક

આરતી સિંહ

ટીવી રિઆલિટીશો બિગ બૉસમાં હવે ફિનાલે વીકેન્ડની શરૂઆથ થઈ ચુકી છે. પારસનો સપોર્ટ પામીને જ્યાં માહિરા શર્માએ પોતાનો રસ્તો સાફ કરી લીધો છે કો બીજી તરફ બાકી ઘરના સભ્યોએ પણ પોતાને ફિનાલે સુધી લઈ જવા માટેના પ્રયાસોમાં લાગ્યા છે. એવામાં જ્યારે આ અઠવાડિયે ત્રણ સભ્યો ઘરથી બેઘર થવાના છે ત્યારે તમામ લોકોએ મળીને આરતી સિંહને ઘરમાં રહેવા માટે લાયક નથી તેવું સાબિત કર્યું છે.

થયું એવું કે પાછલા દિવસોમાં બિગ બૉસ દ્વારા એક ટાસ્ક આપવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રતિસ્પર્ધીઓ સહમતિથી એકથી લઈને નવ નંબર પર લોકોને પોતાની લાયકાત અનુસાર જગ્યા આપવાની હતી. 9 નંબર પર એવો સભ્ય ઉભો હશે જે ઘરમાં રહેવા માટે લાયક નથી. એવામાં સભ્યોએ એકબીજા સાથે સહમતિથી આરતી સિંહને ઘરમાં રહેવા માટે નાલાયક ગણાવ્યા છે.

ઘરમાં આરતીની પહેલી દુશ્મની બનેલી રશ્મિ દેસાઈએ જ્યાં એક તરફ તેમને ઘરમાં રહેવા માટે લાયક ગણાવી, તો બીજી તરફ તેમના સૌથી નજીકના મિત્ર સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું કે તેઓ પાકુ તો નથી કહી શકતા, પરંતુ હું ઈચ્છીશ કે તમે જાઓ.


આ ટાસ્કમાં તમામ ઘરના લોકોએ આરતી અને પારસને પહેલા અને છેલ્લા નંબર પર રાખ્યા. જ્યારે સીક્રેટ રૂમમાં હાજર વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીએ એકબીજા સાથે સહમતિ બનાવીને ક્રમ અનુસાર આરતી સિંહ, શેફાલી બગ્ગા, દેવોલીના, માહિરા શર્મા, આસિમ રિયાઝ, શહનાઝ ગિલ, રશ્મિ દેસાઈ, સિદ્ધાર્થ શુક્લા અને પારસ છાબડાને રાખ્યા છે. તેમને લાગે છે કે કારણ કે પારસ ગેમ રમવાની સાથે સાથે તમામને એન્ટરટેઈન પણ કરે છે. તેના માટે તેઓ સિદ્ધાર્થ શુક્લાથી પણ વધારે લાયક છે.

આ પણ જુઓઃ Happy Birthday Shah Rukh Khan: પરિવાર પ્રેમી છે બોલીવુડના કિંગખાન, જુઓ તસવીરો

આજે ઘરના કોઈ ત્રણ સભ્યોને એલીમિનેશન થનારું છે અને સાથે જ નવા સભ્યોની ઘરમાં પણ એન્ટ્રી થશે.

Bigg Boss television news Salman Khan