અંકિતા લોખંડેનો સોશ્યલ મીડિયા પોસ્ટમાં છૂપો સંદેશ: હું ખરીદાઇ નહીં શકું

04 August, 2020 06:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અંકિતા લોખંડેનો સોશ્યલ મીડિયા પોસ્ટમાં છૂપો સંદેશ: હું ખરીદાઇ નહીં શકું

અંકિતા લોખંડે

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના મામલે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) ખુલીને વાત કરી રહી છે. થોડાક સમય પહેલાં જ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંત ક્યારેય ડિપ્રેશનમાં ન હોઈ શકે. હવે તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને કહ્યું છે કે, મને ખરીદી અને વેચી નથી શકાતી.

અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર આરાનો એક ક્વોટ શૅર કર્યો છે. જેમાં લખ્યું છે કે, 'તે આ જીવનમાં મારી પાસેથી લાખો વસ્તુઓની ચાહ રાખી રહ્યાં છે અને તે માટે હું જવાબ આપુ છું કે, તેઓ ઇચ્છે છે કે આ સમયે હું લાખો અને કરોડો વસ્તુઓમાં પરિવર્તિત થતી રહું. પણ આ મારા માટે નથી. હું સંતોની રાહ પર છું. દેવીની જેમ જન્મેલી છું. મને એમ ન લઈ જઈ શકાય. હું મારા દિલની વાત સાંભળું છું અને આત્માની  વાત કરું છું. ન તો મને ખરીદી શકાય છે કે ન તો મને વેચી શકાય છે.'

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અંકિતા લોખંડે આ કેસ બાબતે સતત પ્રતિક્રિયા આપી રહી છે.

entertainment news indian television television news sushant singh rajput ankita lokhande instagram