સારપ જીવનમાં ક્યારેય એળે નથી જતી

25 November, 2020 09:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારપ જીવનમાં ક્યારેય એળે નથી જતી

યેશુ

ઍન્ડ ટીવી પર ટૂંક સમયમાં આવનારા શો ‘યેશુ’ એક એવા બાળકની વાત લઈને આવે છે જેના જીવનમાં એક જ મક્સદ છે, પોતાની આસપાસ ખુશીઓ ફેલાવવી. પ્રેમ અને લાગણીથી રહેવામાં માનતા યેશુનું બચપણ બહુ ખરાબ છે. પારાવાર દુઃખ અને પીડા તેણે ભોગવી છે, પણ એ બધાની વચ્ચે પણ યેશુની અંદરની સારપ ક્યાંય ગઈ નથી. સારપ જીવનમાં ક્યારેય નકામી જતી નથી એનો અનુભવ યેશુને પોતાને પણ ડગલે ને પગલે થાય છે અને યેશુ આ જ વાત સૌકોઈને સમજાવતો પણ જાય છે.

ડિસેમ્બરમાં આવનારી આ સિરિયલ થકી ઍન્ડ ટીવી પહેલી વાર એક ચાઇલ્ડ ઍક્ટરને ફોકસ કરીને ઑડિયન્સ સામે મૂકશે. ‘યેશુ’માં માત્ર યેશુની જ નહીં, તેના પોતાની માતા સાથેના સંબંધોની વાત પણ કહેવામાં આવી છે.

entertainment news indian television television news tv show