અલાદીનની યાસ્મિન બદલાઈ ગઈ

02 July, 2020 09:04 PM IST  |  Rajkot | Mumbai correspondent

અલાદીનની યાસ્મિન બદલાઈ ગઈ

અવનીત કૌર

ટીનેજર્સના ફેવરિટ શો ‘અલાદીન – નામ તો સુના હોગા’નું શૂટ શરૂ થતાંની સાથે જ રિપ્લેસમેન્ટ આવી ગયું અને યાસ્મિનનું કૅરૅક્ટર કરતી અવનીત કૌરની જગ્યાએ ‘યે ઉન દિનોં કી બાત હૈ’ની સ્ટાર આશી સિંહને લેવામાં આવી. અવનીતને ગયા વર્ષે ડેન્ગીને કારણે હૉસ્પિટલાઇઝ થવું પડ્યું હતું. અત્યારે કોવિડ-19ની મહામારી વચ્ચે અવનીત નવું કોઈ દુ:સાહસ કરવા રાજી નહીં હોવાથી તેણે મેડિકલ ઍડ્વાઇઝ લીધી જેમાં ડૉક્ટરે તેની ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ નહીં હોવાનું કહેતાં અવનીતે શો છોડવાનું નક્કી કર્યું અને શો આશી સિંહની પ્લેટમાં આવી ગયો.
આશી સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘જેવી મને ઑફર આવી એવી મેં તરત જ હા પાડી દીધી. યાસ્મિનનો રોલ જ એવો ઇન્ટરેસ્ટિંગ છે. ફૅન્ટસીની દુનિયા છે અને ઍક્શન સીન કરવા મળવાના છે. ‘અલાદીન’ જોતી ત્યારે પણ મને એ બધા ઍક્શન સીન કરવાનું મન થતું જે ફાઇનલી હવે મને કરવા મળશે.’

entertainment news television news