પોટૅશિયમ સાયનાઇડમાં અદા ખાન લીડ રોલમાં

03 March, 2021 12:10 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

પોટૅશિયમ સાયનાઇડમાં અદા ખાન લીડ રોલમાં

પોટૅશિયમ સાયનાઇડમાં અદા ખાન લીડ રોલમાં

બાલાજી ટેલિફિલ્મ્સની અઢળક સિરિયલોની ક્રીએટિવ ડિરેક્ટર અને પ્રોડ્યુસર નિવેદિતા બાસુ ‘તંદૂર’ બાદ બીજી વેબ-સિરીઝ બનાવવાની છે. ‘પોટૅશિયમ સાયનાઇડ’ નામની આ સિરીઝ સત્યઘટના પર આધારિત એક ક્રાઇમ-થ્રિલર છે, જેમાં અદા ખાન લીડ રોલ કરવાની છે. ‘બહનેં’, ‘વિષ યા અમૃત’, ‘પિયા બસંતી રે’, ‘નાગિન’ જેવા ટીવી-શો કરી ચૂકેલી અદા ખાનને મુખ્યત્વે ‘નાગિન’ને કારણે લોકપ્રિયતા મળી છે. ‘પોટૅશિયમ સાયનાઇડ’ ૧૦ એપિસોડની સિરીઝ બનવાની છે અને એ ઓટીટી પ્લૅટફૉર્મ ઉલ્લુ ઍપ પર રિલીઝ થશે. નિવેદિતા બાસુની સિરીઝ ‘તંદૂર’ પણ આ જ પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ હતી જેમાં રશ્મિ દેસાઈ અને તનુજ વીરવાણી લીડ કલાકારો હતા.
નિવેદિતા બાસુએ ‘કસૌટી ઝિંદગી કી’, ‘ક્યું કિ સાસ ભી કભી બહૂ થી’, ‘હમ પાંચ’, ‘કહાની ઘર ઘર કી’, ‘કુટુંબ’, ‘કુસુમ’, ‘કાવ્યાંજલિ’, ‘કસમ સે’ વગેરે પૉપ્યુલર સિરિયલોના ક્રીએટિવ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે, તો સ્વતંત્ર રીતે તે ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’ અને ‘એક વિવાહ ઐસા ભી’ જેવા શો બનાવી ચૂકી છે.

ahmedabad adaa khan indian television television news entertainment news