મારો દીકરો સ્ટડી માટે વિદેશ જતો હોવાથી શોના રોલના ઇમોશનને હું સમજી શકું છું : પંકજ બેરી

15 December, 2022 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિયલ લાઇફમાં પંકજ બેરીનો દીકરો અર્જુન બેરી વધુ સ્ટડી માટે કૅનેડા જવાનો છે

પંકજ બેરી

પંકજ બેરીનું કહેવું છે કે સબ ટીવી પર શરૂ થયેલી નવી સિરિયલ ‘દિલ દિયા ગલ્લાં’માં તેના દિલપ્રીતના રોલના ઇમોશનને તે સારી રીતે સમજી શકે છે. આ સિરિયલમાં તેના દીકરા મનદીપના રોલમાં સંદીપ બસવાના દેખાય છે. શોમાં દેખાડવામાં આવે છે કે મનદીપને વિદેશમાં જઈને સેટલ થવું છે. એને કારણે પિતા-પુત્રના સંબંધોમાં કડવાશ આવે છે.

આ પણ વાંચો : સોળ સજી શણગાર…દેવોલિના ભટ્ટાચાર્જીએ ગુપચુપ કરી લીધા લગ્ન, પણ વરરાજા કોણ?

રિયલ લાઇફમાં પંકજ બેરીનો દીકરો અર્જુન બેરી વધુ સ્ટડી માટે કૅનેડા જવાનો છે. એથી એ જ લાગણીનો અનુભવ તે આ શોમાં કરી શકે છે. એ વિશે પંકજ બેરીએ કહ્યું કે ‘હું દિલપ્રીતની લાગણીને સારી રીતે સમજી શકું છું, કારણ કે મારો દીકરો અર્જુન પણ હાયર સ્ટડીઝ માટે વિદેશ જઈ રહ્યો છે. પોતાના બાળકને દૂર થતા જોવું એનો ડર દરેક પેરન્ટમાં જોવા મળે છે. મારું એવું માનવું છે કે બાળકોના ઇન્ટરેસ્ટ વિશે ચર્ચા કરવી એ થોડું અઘરું છે અને આપણે તેમને માત્ર સપોર્ટ આપી શકીએ છીએ. આશા છે કે આ શોના માધ્યમથી પરિવારમાં જે ન કહી શકાયેલી લાગણી છે એને વાચા મળશે. હું દિલપ્રીતની સ્થિતિને સમજી શકું છું અને એની સાથે પોતાને પણ જોડી શકું છું કેમ કે હું પણ પર્સનલ લાઇફમાં એવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું કે મારો દીકરો વિદેશ જઈ રહ્યો છે.’

entertainment news television news indian television sab tv