હું પણ રડું છું પરંતુ એ નોર્મલ છે : શ્વેતા તિવારી

02 January, 2020 01:11 PM IST  |  Mumbai

હું પણ રડું છું પરંતુ એ નોર્મલ છે : શ્વેતા તિવારી

શ્વેતા તિવારી

શ્વેતા તિવારીનું કહેવું છે કે તે પણ એક માનવી છે અને સમય-સમયે તેને પણ રડવું આવે છે. શ્વેતા તેની પર્સનલ લાઇફમાં ઘણાં કપરા સમયમાંથી પસાર થઈ છે. તે હાલમાં તેના પર્સનલ પ્રોબ્લેમ્સને કારણે તેના પતિ અભિનવ કોહલીથી છૂટી થઈ ગઈ છે. આ વિશે શ્વેતાએ કહ્યું હતું કે ‘હું મારા બાળકો સાથે પ્રેમમાં છું. હવે મારી પાસે અન્ય કોઈ વ્યક્તિ માટે સમય નથી. હું મારા બાળકોના એટલા પ્રેમમાં છું કે એના સિવાય અવ્ય કોઈ વ્યક્તિને પ્રેમ કરવા માટે મારી પાસે સમય પણ નથી.’

આ પણ વાંચો : યે રિશ્તા ક્યા કહલાતા હૈના કાર્તિક ગોએન્કાનું ન્યુ યર રેઝોલ્યુશન શું છે?

શ્વેતાએ જ્યારે તેના પતિથી અલગ થઈ હતી ત્યારે એ ઇશ્યુ પર લોકોએ ઘણાં ટ્રોલ કર્યાં હતાં. આ વિશે શ્વેતાએ કહ્યું હતું કે ‘લાઇફમાં જેમની પાસે કંઈ કરવા માટે નથી હોતું તેઓ આવું કામ કરે છે. કામ કરતાં લોકોને ટ્રોલ કરવા માટે આવા લોકો પાસે ઘણો સમય હોય છે. મારી આસપાસ ઘણી મહિલાઓ છે જેઓ મારા જેવા પ્રોબ્લેમમાંથી પસાર થઈ રહી છે. હું કંઈ સ્ટ્રૉન્ગ નથી. હું મારા પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરી રહી છું. હું પણ રડું છું. હું પણ અમુક સંજોગોમાં પડી ભાંગું છું, પરંતુ એ નોર્મલ છે.’

shweta tiwari television news