યે રિશ્તા ક્યા કહલાતા હૈના કાર્તિક ગોએન્કાનું ન્યુ યર રેઝોલ્યુશન શું છે
મોહસિન ખાન
નવા વર્ષના સંકલ્પો કરવામાં જેટલી મજા નથી આવતી હોતી એટલી મજા એ સંકલ્પ જાણવામાં આવતી હોય છે. સ્ટાર ટીવીની સૌથી હીટ ફ્રૅન્ચાઇઝી એવી ડેઇલી શૉપ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની સેકન્ડ સીઝનના લીડ કાર્તિક ગોએન્કા એટલે કે મોહસિન ખાને લીધેલો સંકલ્પ તો ખરેખર સાંભળવા અને સમજવા જેવો છે. મોહસિને ૨૦૨૦ના શુભારંભે સંકલ્પ કર્યો છે કે તે કોઈ પણ હિસાબે પોતાની સિરિયલ ઑડિયન્સની જેમ બેસીને આખો એપિસોડ જોશે.
આ પણ વાંચો : સલમાન પછી કિંગ ખાન પણ સિરિયલ પ્રોડક્શનમાં આવશે
ADVERTISEMENT
સામાન્ય રીતે ડેઇલી શૉપમાં કામ કરતા ઍક્ટરને એવો ટાઇમ મળતો નથી હોતો, એપિસોડ શૂટ થતો હોય એ પછી સીન જોઈ લેવામાં આવતો હોય, પણ એ રસોઈ દરમ્યાન ચાખવામાં આવતી વાનગી જેવી વાત છે, એ વાનગી ખાધી ન કહેવાય. મોહસિને નક્કી કર્યું છે કે હવેથી તે એવી રીતે નહીં કરે, પણ દિવસ દરમ્યાન કોઈ પણ હિસાબે અડધો કલાક કાઢશે અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર તે પોતાનો જ એપિસોડ એક સામાન્ય ઑડિયન્સ બનીને જોશે. આ મોહસિનની કામ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે.