મૈં ભી અર્ધાંગિનીમાં નવી વિલન આવશે

16 October, 2019 02:11 PM IST  |  અમદાવાદ

મૈં ભી અર્ધાંગિનીમાં નવી વિલન આવશે

ઈશાની શર્મા

એન્ડ ટીવી પર ચાલી રહેલી સુપરનૅચરલ સિરીઝ ‘મૈં ભી અર્ધાંગિની’માં ‘હમકો તુમસે પ્યાર હો ગયા’ની લીડ ઍક્ટ્રેસ ઈશાની શર્મા જોવા મળશે. ઝી તામિલના ‘યારાડી ની મોહિની’ નામના સોપ ઑપેરાની ઑફિશ્યયલ રીમેક ‘મૈં ભી અર્ધાંગિની’ની હાલ બીજી સીઝન ચાલી રહી છે. પહેલીમાં અવિનાશ સચદેવ, અદિતિ રાવત અને અંજલિ પ્રિયા લીડ કલાકારો હતાં. બીજી સીઝનમાં તેમાં ફેરફાર થયો. હવે અંકિત રાજ, હીના પરમાર અને દીપશિખા નાગપાલ મુખ્ય પાત્રો છે. અઢળક સિરિયલો તથા ફિલ્મો કરી ચૂકેલી દીપશિખા નાગપાલ ‘મૈં ભી અર્ધાંગિની’ની બીજી સીઝનમાં ‘મહા માયા નીલાંબરી’ના પાત્રમાં હતી, પરંતુ અચાનક તેનો ટ્રૅક મેકર્સે વાઇન્ડ-અપ કર્યો અને દીપશિખા શોમાંથી નીકળી ગઈ.

આ પણ વાંચો : બીજલ પછી હવે નીલ પણ પૂછશે તેરા ક્યા હોગા આલિયા?

હવે વાર્તામાં વધારે રોમાંચકતા અને વળાંક લાવવા માટે નવી વિલનની જરૂર પડી, જે જગ્યા માટે ઈશાની શર્માને પસંદ કરવામાં આવી. દીપશિખા નાગપાલની જગ્યાએ ગ્રે શેડ પાત્રમાં ઈશાની શર્માને દર્શકો પસંદ કરે છે કે નહીં એ જોવું રહ્યું.

television news