'ભાભીજી ઘર પર હૈ'ના સંદીપ આનંદે ડિવોર્સ માટે કરી અરજી, આ છે કારણ

28 January, 2019 04:48 PM IST  | 

'ભાભીજી ઘર પર હૈ'ના સંદીપ આનંદે ડિવોર્સ માટે કરી અરજી, આ છે કારણ

તસવીર સૌજન્યઃ સંદીપ આનંદ ઈન્સ્ટાગ્રામ

FIR, મે આઈ કમ ઈન મેડમ, ભાભીજી ઘર પર હૈથી જાણીતા થયેલા એક્ટર સંદીપ આનંદે ડિવોર્સ માટે અરજી કરી છે. સાત વર્ષના લગ્નજીવન બાદ સંદીપ આનંદે ડિવોર્સ ફાઈલ કર્યા છે. આ એક્ટર-કોમેડિયને 2012માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે, જે આનંદની પત્ની સારથે રહે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા સંદીપ આનંદે ડિવોર્સની વાતને સમર્થન આપ્યું છે. સંદીપે કહ્યું,'હા, એ સાચુ છે. અમે સાત વર્ષથી જોડે હતા. હવે અમારી વચ્ચે સ્થિતિ બરાબર નથી. એટલે મેં ડિવોર્સ ફાઈલ કર્યા છે. મારે પર્સનલ લાઈફ વિશે ખાસ વાત જાહેર નથી કરવી, હું મારા કામને પ્રાધાન્ય આપવા માગું છું. '

મળતી માહિતી મુજબ સંદીપની પત્ની હજી પણ તેની સાથે રહેવા ઈચ્છે છે, એટલે આ ડિવોર્સ ટૂંક સમયમાં શક્ય બને તેવી શક્યતા ઓછી છે. સંદીપનું માનવું છે કે તે અને તેમની પત્ની બંને અલગ અલગ સંસ્કૃતિ અને સમાજમાંથી આવે છે, પેરેન્ટ્સના કહેવાથી તેમના લગ્ન થયા હતા. પરંતુ તે ક્યારેય તેમની પત્ની સાથે પ્રેમ નહોતા કરી શક્યા.

આ પણ વાંચોઃસુનીલ ગ્રોવરનું દુઃખ, કહ્યું "ન હે હમ અમિતાભ ઓર ન કિસી હીરો કે બચ્ચે..

સંદીપનું કહેવું છે કે,'મારા માતાપિતાની ખુશી માટે મેં લગ્ન કર્યા હતા. હું જે સ્ત્રીને પ્રેમ નહોતો કરતો તેની સાથે મારે લગ્ન કરવા પડ્યા. તે એક નાના શહેરમાંથી આવે છે, જ્યારે હું મુંબઈનો છું. અમારી વચ્ચે બધું જ જુદુ છે. પણ મારી જવાબદારી હતી, મેં સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો. મેં મારી જીંદગીના 7 વર્ષ આ સંબંધને આપ્યા છે પરંતુ પરિસ્થિતિ ન સુધરી.'

ઉલ્લેખનીય છે કે FIRમાં સંદીપનું બિલ્લુનું પાત્ર ખૂબ જ લોકપ્રિય હતું.