પાર્થ ઠક્કરનું ગીત ટૂંક સમયમાં જ આવી રહ્યું છે, 'મીરાને માધવનો રાસ'

15 October, 2020 08:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પાર્થ ઠક્કરનું ગીત ટૂંક સમયમાં જ આવી રહ્યું છે, 'મીરાને માધવનો રાસ'

મીરા ને માધવનો રાસ

લોકપ્રિય ગુજરાતી ગાયક પાર્થ પોતાના ગીતોથી સતત પોતાના ચાહકોના મનમાં પોતાની એક આગવી છાપ મૂકે છે. ત્યારે દરવર્ષની નવરાત્રીની જેમ આ વર્ષે પણ પાર્થે નવરાત્રી સ્પેશિયલ ગીત 'મીરા અને માધવનો રાસ' તૈયાર કરી લીધું છે, અને તે હવે ટૂંક સમયમાં જ રિલીઝ થવા માટે પણ તૈયાર છે. આ અંગેની જાહેરાત પણ પાર્થે પોતે જ કરી હતી.

પાર્થનું આ ગીત ગુજરાતી નવરાત્રી રાસ ગરબા ગીત છે. આ ગીત મીરાબાઈની ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને રાધા કૃષ્ણના પ્રેમ વિશે છે.

આ ગીત પાર્થે પોતે કમ્પોઝ અને પ્રેઝેન્ટ કર્યું છે. લિરિક્સ નિરેન ભટ્ટના છે જ્યારે ગાયક આદિત્ય ગઢવી અને જાહ્નવી શ્રીમન્કર છે તો ઍક્ટર્સ વ્યોમા નંદી, અંશુલ ત્રિવેદી અને તમન્ના તન્ના છે. આ ગીત માટે કોરિયોગ્રાફી કરી છે સામિર- અર્શ તન્નાએ. જ્યારે કુશલ નાઇકે ડિરેક્ટ કર્યું છે અને ઉમંગ વ્યાસ આ ગીત માટેના ક્રિએટિવ ડિરેક્ટર છે. ટૂંક સમયમાં જ આ ગીત પાર્થની પોતાની યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ થવાનું છે.

entertainment news parth thakkar dhollywood news