ગીતકાર અને લેખક પાર્થ તરપરાએ સાક્ષી નીનગુરકર સાથે કરી સગાઈ

10 April, 2022 09:10 PM IST  |  Mumbai | Karan Negandhi

પાર્થે એક સગાઈની તસવીર પોસ્ટ કરી ફેન્સને આ સમાચાર આપ્યા છે.

પાર્થ તરપરા અને સાક્ષી નીનગુરકર. તસવીર સૌજન્ય: પાર્થ તરપરાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

લેખક, ગીતકાર અને વોઇસ આર્ટિસ્ટ પાર્થ તરપરાએ તાજેતરમાં સાક્ષી નીનગુરકર સાથે સગાઈ કરી છે. પાર્થે પોતે ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર આપ્યા છે. પાર્થે એક સગાઈની તસવીર પોસ્ટ કરી ફેન્સને આ સમાચાર આપ્યા છે. સગાઈની તસવીર શેર કરતાં પાર્થે પોતાના અંદાજમાં કેપ્શન આપતા લખ્યું છે કે “ગુજરાતી મુલગા અને મરાઠી કન્યા. #engaged”

પાર્થની આ પોસ્ટ બાદ તેમના ચાહકોએ કોમેન્ટ બોક્સમાં શુભેચ્છાઓનો વરસાદ કર્યો છે. ૨૧મું ટિફિન ફેમ અભિનેત્રી નેત્રી ત્રિવેદી લખ્યું “Woooohoooo! Congratulationsss” તો ફિલ્મ ૨૧મું ટિફિનના પ્રોડ્યુસર ટ્વિંકલ બાવાએ જોડીને અભિનંદન આપતા લખ્યું કે “લવ યુ બોથ, આમ જ હસતાં રહેજો.”

સાક્ષી નીનગુરકર પણ કલા સાથે જોડાયેલી છે. તેણી ભરતનાટ્યમ ડાન્સર છે. સાક્ષી અને પાર્થ બંનેએ સંસ્કૃતમાં માસ્ટર્સ કર્યું છે.

પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતાં પાર્થ તરપરાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “અમે જ્યારે પુણેમાં સંસ્કૃતમાં માસ્ટર્સ કરતાં હતાં ત્યારે અમારી મુલાકાત થઈ હતી. જોકે અમે બંને જુદી-જુદી યુનિવર્સિટીમાં ભણતાં હતાં અને એક કોમન ફ્રેન્ડને કારણે અમારી મુલાકાત થઈ હતી. એટલે એક રીતે કહી શકાય કે અમારી ‘સંસ્કૃતને બનાદી જોડી` છે.”

નોંધનીય છે કે ૨૧મું ટિફિનનું ગીત ‘રાહ જુએ શણગાર અધૂરો’ પાર્થ તરપરાએ લખ્યું છે. ઉપરાંત દેશમાં કોરોના રસીના ૧૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા બાદ જે કોલરટ્યુન ‘નમસ્કાર આપ સબ કે પ્રયાસ સે…’નો અવાજ પણ પાર્થ તરપરાએ આપ્યો છે.

entertainment news dhollywood news