દિગ્દર્શક વિરલ શાહે પોતાને સવારના પહોરમાં ભગવાનના રૂપમાં જોયા

16 June, 2020 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દિગ્દર્શક વિરલ શાહે પોતાને સવારના પહોરમાં ભગવાનના રૂપમાં જોયા

ગોળકેરી ફિલ્મનાં દિગ્દર્શક વિરલ શાહની સવાર આજે કંઇ રસપ્રદ રીતે પડી, તેમણે પોતાની જાતને જ ભગવાનને રૂપે ટેલિવિઝન પર જોયા. આ બહુ ઓછા લોકો જાણે છે કે વિરલ શાહે તેની કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન પર બાળ કલાકાર તરીકે કામ કરવાથી કરી હતી. તેમણે ઘણા ટેલિવિઝન શૉઝમાં કામ કર્યું છે. આજે વિરલનાં પેરન્ટ્સ સવારે શ્રી ગણેશ ધારાવાહિક જોઇ રહ્યા હતા અને તે નેવુંના દાયકામાં આવનારા ટેલિવિઝન શો હતો જેમાં બાળકલાકાર વિરલ શાહ ઇશ્વરનાં અવતારમા અભિનય કરતા દેખાય છે.

વિરલે આ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને પોતાના પાત્રની તસવીર પણ સાથે મૂકી હતી. રોજ સવારે નવથી દસ વાગ્યા દરમિયાન આ શો ટેલિવિઝન પર, સ્ટાર પ્લસ એચડી પર દેખાડવામાં આવે છે. વિરલે આ પોસ્ટમાં #JabMainChhotaBacchaTha એમ હેશટૅગ પણ યુઝ કર્યો છે. ગુજરાતી મિડ-ડે સાથેનાં ઇન્સ્ટાગ્રામ લાઇવમાં વિરલે પોતાના બાળ કલાકાર હોવાનો અનુભવ શેર કર્યો હતો.

ગોળકેરીનાં દિગ્દર્શક વિરલ શાહ આજકાલ બિઝી છે કારણકે તેમણે લૉકડાઉનમાં સ્ક્રિપ્ટ પર તો કામ કર્યું જ પણ સાથે ડબિંગની કામગીરી પણ સતત કરી રહ્યા હતા, તે પણ ઘરે બેઠાં. તેઓ હાલમાં પોતાના પ્રોડક્શન હાઉસ માટે બ્રાન્ડિંગ કેમ્પેઇન્સમાં વ્યસ્ત છે. તેમની આગમી ફિલ્મ કેસરીયા છે જેમાં તેમણે લેખકની જવાબદારી નિભાવી છે.

gujarati film dhollywood news