30 March, 2020 08:39 PM IST | Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent
મલ્હાર ઠાકર
ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકરે પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ પુરી કરી અને તે અંગે પોસ્ટ લખીને પોતાના ફેન્સને માહિતી આપી હતી. મલ્હાર ઠાકરે Covid-19 વાઇરસ સામેની લડતમાં PM CARES ફંડમાં પોતાના તરફથી રૂપિયા 1 લાખનું દાન કર્યુ હતું. મલ્હારે હંમેશા એક જવાબદાર વ્યક્તિત્વની છાપ છોડી છે. આ દાન કરીને તેણે ફરી એકવાર સિદ્ધ કર્યું છે કે તે પોતે ખુબ જ કન્સર્ન્ડ સિટીઝન છે.
મલ્હારે 20 હજારનું દાન મુંબઇની થિએટર ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા દાડિયા કામદારો તથા 20 હજાર રૂપિયા અમદાવાદની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દાડિયા કામદારોને પણ આપ્યું છે વળી 25000ની કિટ સ્પોટબોય્ઝ માટે અને 5000ની રકમ સ્ટ્રે ડૉગ્ઝ માટે પણ આપી છે. મલ્હારના પાત્રો બેફિકરા હોઇ શકે છે પણ તે વાસ્તવિકત જીવનમાં ભારે ઋજુતા ધરાવતો એક્ટર છે તે આ જેશ્ચર્સ સાબિત કરે છે.