The Kapil Sharma Show: સુનીલ ગ્રોવરની થશે રીએન્ટ્રી? જાણો શું છે મામલો

16 September, 2019 05:54 PM IST  |  મુંબઈ ડેસ્ક

The Kapil Sharma Show: સુનીલ ગ્રોવરની થશે રીએન્ટ્રી? જાણો શું છે મામલો

સુનીલ ગ્રોવર

અભિનેતા અને કૉમેડિયન સુનીલ ગ્રોવરની કૉમેડીના લોકો દીવાના છે. જ્યારે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એક સાથે શૉ કરતાં હતા ત્યારે લોકોનું એન્ટરટેઇન્મેન્ટ વધીને બેગણું થઈ જતું હતું. જો કે, હવે લોકો કપિલ શર્મા સાથે સુનીલ ગ્રોવરને મિસ કરે છે અને ઇચ્છે છે કે તે કપિલ શર્મા શૉમાં ફરી કમબૅક કરે. લોકો તેમનું કમબૅક ધ કપિલ શર્મા શૉમાં થઈ જાય, તેવું ઈચ્છે છે અને આ વાત સુનીલ ગ્રોવરના એક ટ્વીટ પર આવેલા લોકોના રિએક્શન પરથી સાબિત થાય છે.

હકીકતે, સુનીલ ગ્રોવરે એક ટ્વીટ કર્યું હતું, જેના પછી લોકો ક્યાસ લગાવી રહ્યાં છે કે સુનીલ ગ્રોવર, ધ કપિલ શર્મા શૉમાં કમબૅક કરી શકે છે. તો કેટલાય લોકો તેના કમબૅકની અપીલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે ટૂંક સમયમા્ જ કપિલ શર્મા શૉમાં કમબૅક કરે. તો લોકોએ ટ્વીટ કર્યા છે કે તેઓ તેને મિસ કરે છે અને તેની એક્ટિંગ તેમને યાદ આવે છે.

તો હવે સૌ પ્રથમ જાણીએ કે સુનીલ ગ્રોવરે એવું તે શું ટ્વીટ કર્યું છે, જેના પછી લોકો તેને કપિલ શર્મા શૉમાં પાછા બોલાવે છે અને તેના કમબૅકના ક્યાસ લગાડવા લાગ્યા છે. તાજેતરમાં જ સુનીલ ગ્રોવરે પોતાના ટ્વિટર પર લખ્યું, "બધું આવવાનું છે. કંઇ રહી જવાનું નથી. તો બસ આભાર. આ જ ચાવી છે, અને અહીંયા હસો. બાકી..... મેરે હસબન્ડ મુજકો....."

જણાવીએ કે આ ટ્વીટને કારણે લોકોને લાગી રહ્યું છે કે તે કપિલ શર્મા શૉમાં કમબૅક કરશે. તો તમને જણાવીએ કે સુનીલ ગ્રોવરે જે ટ્વીટ કર્યું છે આ ટ્વીટના અંતમાં લખ્યું છે મેરે હસ્બન્ડ મુઝકો.... આ તેનો જાણીતો ડાયલૉગ છે, કે જે આ રીતે છે - મેરે હસબન્ડ મુઝસે પ્યાર હી નહીં કરતે. લોકો તેના આ ડાયલૉગને મિસ કરી રહ્યા છે અને આવી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સઇ બર્વે: આ ચુલબુલી અભિનેત્રીને વ્હાલો છે વરસાદ, કરાવ્યું રેઇન ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એક સાથે શૉ કરતાં હતા, પણ અંદરોઅંદર લડાઇને કારણે બન્ને અલગ થઈ ગયા. હવે કપિલ શર્મા શૉમાં સુનીલ ગ્રોવરને કૃષ્ણા અભિષેકે રિપ્લેસ કર્યું છે.

sunil grover the kapil sharma show kapil sharma bollywood television news bollywood news bollywood gossips