ઇરફાન હજી એક વર્ષ સુધી ફિલ્મોમાં કામ નહીં કરે?

17 February, 2019 12:27 PM IST  | 

ઇરફાન હજી એક વર્ષ સુધી ફિલ્મોમાં કામ નહીં કરે?

ઇરફાન હજી એક વર્ષ સુધી કામ નહીં કરે એવી ચર્ચા ચાલી રહી છે. ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર સારવાર લંડનમાં લીધા બાદ તે હાલમાં મુંબઈ આવી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. મુંબઈ આવ્યાની સાથે જ તે ‘હિન્દી મીડિયમ’ની સીક્વલ પર કામ કરશે એવી ચર્ચા છે. જોકે હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તે હજી એક વર્ષ સુધી ફિલ્મમાં કામ નહીં કરે. તે હજી અંધેરીની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાની ચર્ચા છે. જોકે તેની રિકવરી ખૂબ જ ધીમે આવી રહી છે. તે જલદી સાજો થઈ જાય તો પણ ડૉક્ટર દ્વારા તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આથી તે હાલમાં ફિલ્મોથી દૂર રહેતો હોવાની વાતો બહાર આવી રહી છે.

આ પણ વાંચોઃ કેન્સરના ઈલાજ બાદ સ્વદેશ પરત ફર્યા ઈરફાન ખાન

irrfan khan bollywood