12 March, 2020 11:54 AM IST | Mumbai Desk
આમિર ખાન (ગજની)
આમિર ખાનના જન્મદિવસના થોડાંક જ સમય પહેલા ટ્વિટર પર કેટલીક ચર્ચાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સમાં ચર્ચા છે કે આમિર ખાન વર્ષ 2008માં આવેલી ફિલ્મ 'ગજની'ની સીક્વલમાં દેખાઇ શકે છે. તો, આશા છે કે આમિર ખાન પોતાના જન્મદિવસે 'ગજની 2'ની ઑફિશિયલ જાહેરાત કરી શકે છે.
આ બધી બાબતોની ચર્ચાઓ ત્યારથી શરૂ થઈ જ્યારે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટએ પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર થી 'ગજની'ને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે તસવીર શૅર કરી, જેમાં લખ્યું છે કે, "આ પોસ્ટ ગજની વિશે હતી, પણ અમે ભૂલી ગયા છીએ કે અમે શું બનાવવા માગતા હતા." તો, આ તસવીર શૅર કરતાં તેમણે લખ્યું, "આનો દોષ ગજની પર મૂકો". ખાસ વાત એ છે કે રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટએ આ પોસ્ટ સાથે આમિર ખાનને પણ ટેગ કરી છે.
જો તમે આમિર ખાન અને અસિન સ્ટારર ફિલ્મ 'ગજની' જોઇ છે, તો તમે આ પોસ્ટ સરળતાથી સમજી શકશો. 'ગજની' ફિલ્મમાં આમિર ખાનના પાત્રને શૉર્ટ ટાઇમ મેમોરી લૉસની બીમારી હતી. તેને પોતાની હકીકતની યાદ દિવસ આખામાં થોડાંક સમય માટે જ આવતી હતી.
આ પણ વાંચો : Happy Birthday : જુઓ, દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના રૅર અને અનોખા ફોટોઝ
હવે સોશિયલ મીડિયા પર આને લઇને ફેન્સના કેટલાય પ્રકારના સવાલ પણ આવી રહ્યા છે. તે પૂછી રહ્યા છે કે આમિર ખાન 'ગજની 2' લઈને આવવાના છે? તો, કેટલાક યૂઝર્સ આને લઈને મીમ્સ પણ શૅર કરી રહ્યા છે.