14 May, 2020 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીષા કોઈરાલા કહી રહી છે કે કોરોનાની મહામારીને કારણે તેની રાતની નીંદર ઊડી ગઈ છે. મનીષા છેલ્લે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આવેલી ‘મસ્કા’માં જોવા મળી હતી.
આ વિશે ટ્વિટર પર મનીષાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ મહામારીને કારણે મારી ઊંઘવાની ઢબ બદલાઈ ગઈ છે. અડધી રાતે હું જાગી જાઉં છું. નાનકડા બાળક પણ રાતે ગમે ત્યારે જાગી જતાં હોય છે.’