રોનિત રૉયે કોના પર કર્યો પ્રહાર?

23 February, 2021 11:51 AM IST  |  Mumbai | Agencies

રોનિત રૉયે કોના પર કર્યો પ્રહાર?

રોનિત રૉયે કોના પર કર્યો પ્રહાર?

રોનિત રૉયે આડકતરી રીતે પાવરફુલ લોકોનાં નામ લીધા વગર તેમના પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેનું કહેવું છે કે માત્ર સલાહ આપવાથી કંઈ નહીં થાય. એના માટે મેદાનમાં ઊતરવું જરૂરી છે. આ વિશે ટ્વિટર પર રોનિતે ટ્વીટ કર્યું હતું કે ‘યાર હું આ સમજવામાં નિષ્ફળ રહ્યો છું. કેટલાક લોકોના હાથમાં પાવર હોય છે અને તેઓ જ્વલંત મુદ્દાઓ પર ટ્વીટ કરીને છાપ છોડે છે, પરંતુ એમાંના ખૂબ ઓછા લોકો હોય છે જે ખરા અર્થમાં આગળ આવે છે અને એને ઉકેલવા તરફ સક્રિય ભાગ લે છે. મેદાનમાં આવોને યાર! એક ઉદાહરણ સ્થાપિત કરો. માત્ર સલાહ આપવાથી કંઈ નથી થતું.’

bollywood bollywood news ronit roy entertainment news bollywood ssips