એવું શું ધરાશાયી થયું કે બિગ બી ઇમોશનલ થયા?

06 July, 2020 10:06 AM IST  |  Mumbai Desk | Agencies

એવું શું ધરાશાયી થયું કે બિગ બી ઇમોશનલ થયા?

અમિતાભના બંગલોમાં લાગેલું ઝાડ થયું ધરાશાયી

અમિતાભ બચ્ચને પોતાના બંગલો ‘પ્રતીક્ષા’માં વાવેલા 43 વર્ષ જૂના ગુલમહોરનું ઝાડ ધરાશાયી થતાં લાગણી વ્યક્ત કરી છે. ભારે વરસાદને કારણે આ ઝાડ પડી જતાં બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘1976માં જ્યારે અમે આ ઘરમાં આવ્યાં ત્યારે આ ઘરને આ પેઢીના લોકોએ ક્યારેક ખરીદ્યું અને બનાવ્યું હતું. અહીં અમે આને એક નાના છોડ તરીકે રોપ્યો હતો. ત્યારે આ નાનોઅમથો હતો. એને અમે લૉનની વચ્ચે લગાવ્યો હતો, જે આ ઘરની આસપાસ છે. બાળકો એની જ આસપાસ રમતાં-રમતાં મોટાં થયાં હતાં. ઠીક એ રીતે જ પૌત્ર અને પૌત્રીઓ પણ મોટાં થયાં છે. તેમના જન્મદિવસ અને તહેવારોની ખુશીઓ પણ આ ગુલમહોરના ઝાડનાં ચમકદાર નારંગી ફૂલોની સાથે સજેલી છે જે ગરમીમાં ખીલતાં હતાં. બાળકોનાં લગ્ન પણ એનાથી થોડા અંતર પર થયાં હતાં જે એક વડીલની જેમ અડીખમ ઊભો હતો.’

bollywood bollywood news amitabh bachchan