બાળકો માટેનાં કાર્યો અને અભ્યાસ માટે મારી લાઇફને ડેડિકેટ કરવા માગું છું

30 October, 2020 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકો માટેનાં કાર્યો અને અભ્યાસ માટે મારી લાઇફને ડેડિકેટ કરવા માગું છું

માનુષી છિલ્લર

માનુષી છિલ્લરનું કહેવું છે કે તે તેની લાઇફને બાળકો માટેનાં કાર્યો અને એજ્યુકેશન માટે ડેડિકેટ કરવા માગે છે. તે બૉલીવુડમાં અક્ષયકુમાર સાથેની ‘પૃથ્વીરાજ’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. જોકે ૨૦૧૭માં મિસ વર્લ્ડ બન્યા બાદ તે મહિલાઓ માટે મેન્સ્ટ્રુએશનને લઈને એક પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. આ પ્રોજેક્ટનું નામ પ્રોજેક્ટ શક્તિ છે જેના પર તે હજી પણ કામ કરી રહી છે. તે હવે બાળકો માટેનાં કાર્યો અને એજ્યુકેશનને લઈને કામ કરવા માગે છે. આ વિશે માનુષીએ કહ્યું હતું કે ‘મિસ વર્લ્ડની મારી જર્નીએ લાઇફ, સોસાયટી અને માનવતા વિશે મારી આંખ ઉઘાડી દીધી છે. આ મોમેન્ટને હું ખૂબ સાચવીને રાખું છું, કારણ કે એ દરમ્યાન મને દુનિયાના ઘણા લોકોને મળવા મળે છે. આ દરમ્યાન હું સર્વાઇવ કરેલી, પોતાના પગ પર અડીખમ હોય એવી ઘણી વ્યક્તિઓને મળી છું અને તેમની સ્ટોરી સાંભળી છે. એમાંથી મને જે લેશન મળ્યું છે એમાંથી હું એક સારી વ્યક્તિ બની છું અને એથી જ મારે સોસાયટી માટે સારું કામ કરવું છે. ઍક્ટર તરીકેના મારા સ્ટેટસનો ઉપયોગ હું બાળકો માટેનાં કાર્યો અને એજ્યુકેશન માટે કરવા માગું છું. આપણી ભવિષ્યની જનરેશનને આપણે કેવી રીતે ઉછેરીએ છીએ એ મહત્ત્વનું છે. હું પહેલેથી પ્રોજેક્ટ શક્તિ દ્વારા કામ કરી રહી છું. કોરોના વાઇરસને કારણે અમારે અમારા પ્રોજેક્ટ્સને હોલ્ડ પર મૂકવા પડ્યા છે, પરંતુ જલદીથી અમે વધુ શહેરોની મહિલાઓ સાથે જોડાઈશું.’

entertainment news bollywood bollywood news bollywood gossips manushi chhillar