વિકી કૌશલ-માનુષી છિલ્લર કેમ મહેશ્વર જઈ રહ્યાં છે?

02 February, 2021 03:25 PM IST  |  Mumbai | Harsh Desai

વિકી કૌશલ-માનુષી છિલ્લર કેમ મહેશ્વર જઈ રહ્યાં છે?

વિકી કૌશલ-માનુષી છિલ્લર કેમ મહેશ્વર જઈ રહ્યાં છે?

વિકી કૌશલ અને માનુષી છિલ્લર તેમની આગામી ફિલ્મ માટે મધ્ય પ્રદેશના મહેશ્વર ઊપડવાનાં છે. વિકી હાલમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને સાથે જ તે કૅટરિના કૈફને પણ ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. બીજી તરફ માનુષી બૉલીવુડમાં અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ માનુષીએ યશરાજ ફિલ્મ્સની અનટાઇટલ્ડ રોમૅન્ટિક ફિલ્મને સાઇન કરી લીધી હતી. ‘ધૂમ 3’ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરનાર વિજય ક્રિષ્ન આચાર્ય આ ફિલ્મને ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું શેડ્યુલ મહેશ્વરમાં રાખવામાં આવ્યું છે જ્યાં તેમની વચ્ચે કેટલાંક રોમૅન્ટિક દૃશ્યો શૂટ કરવામાં આવશે. આ સાથે જ કેટલાંક મહત્ત્વનાં દૃશ્યોનું શૂટિંગ પણ મહેશ્વરમાં કરવામાં આવશે અને એમાં એ જગ્યાની સુંદરતાને પણ વણી લેવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આઉટડોર હોવાથી બાયો-બબલમાં કરવામાં આવી રહ્યું છે. આથી એક પણ વ્યક્તિને સેટની બહાર જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. જેમણે મહેશ્વરની મુલાકાત લેવી હોય તેમણે આ ફિલ્મનું શેડ્યુલ પૂરું થાય એની રાહ જોવી પડશે.

bollywood bollywood news bollywood ssips vicky kaushal manushi chhillar