07 April, 2021 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન
વરુણ ધવન અને નતાશા દલાલે અરુણાચલ પ્રદેશમાં આગપીડિત ફેમિલીની મદદ માટે એક લાખ રૂપિયા દાન કર્યા છે. અરુણાચલ પ્રદેશના તિરાપ અને લોંગડિંગ જિલ્લામાં આગ લાગી હતી. આ આગમાં ૧૧૪ લોકોનાં ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં. તેમ જ બે જણની સાથે એક પાંચ વર્ષની છોકરીનું પણ મૃત્યુ થયું હતું. આ વાતની જાણ થતાં વરુણે લઓર સુબાનસિરીના ડેપ્યુટી કમિશનર સોમ્ચા લોવાંગને પૈસા આપ્યા હતા જેથી તેઓ લોકોને મદદ કરી શકે.
વરુણે ફક્ત એક લાખ રૂપિયાનું દાન કર્યું હોવાથી તેને લોકો ટ્રોલ કરી રહ્યા છે કે કરોડો રૂપિયા કમાનાર વ્યક્તિ ફક્ત એક લાખ રૂપિયાનું દાન કરી રહ્યો છે. જોકે બીજી તરફ એ પણ છે કે ભાગ્યે જ કોઈ એવી સેલિબ્રિટી હશે જેણે કોઈ નાની દુર્ઘટના માટે પણ દાન કર્યું હોય. કોઈ મોટી દુર્ઘટના હોય તો ઘણી સેલિબ્રિટીઝ દાન કરતી હોય છે.