01 December, 2020 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદિત નારાયણ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
90ના દાયકાના સુપરહીટ ગાયકોમાંના એક એટલે ઉદિત નારાયણ (Udit Narayan). તેમણે હિન્દી સિવાય તમિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી અને બંગાળી ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. ચાર વખત રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર ઉદિત નારાયણનો જન્મ 1 ડિસેમ્બર 1955ના રોજ થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે, ઉદિત નારાયણે બે લગ્ન કર્યા છે. તેમણે પોતે પણ આ વસ્તુ વર્ષો સુધી છુપાવી રાખી હતી.
ઉદિત નારાયણનું પૂરું નામ ઉદિત નારાયણ ઝા છે. તેમનો જન્મ બિહારના સુપૌલ જિલ્લામાં થયો હતો. તેમનો નેપાળ સાથે ગાઢ સંબંધ છે. તેમણે પોતાની ફિલ્મી કારર્કિદીની શરૂઆત હિન્દી નહીં પણ નેપાળી ફિલ્મથી કરી હતી. આ ફિલ્મનું નામ હતું ‘સિંદૂર’.
લગભગ 10 વર્ષોની મહેનર બાદ ઉદિત નારાયણે પહેલું સુપરહિટ ગીત આપ્યું, જેનાથી તેમનું ભાગ્ય બદલાઈ ગયું. ‘કયામત સે કયામત તક’ ફિલ્મમાં આમિર ખાન પર ફિલ્માવવામાં આવેલું ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ સુપરહિટ રહ્યું હતું. ત્યારબાદ તેમને ઘણી ઓફરો આવી હતી.
વર્ષ 2006માં રંજના નારાયણે દાવો કર્યો હતો કે, ઉદિત નારાયણ તેમના પતિ છે. પરંતુ ઉદિત આ વાતનો ઇનકાર કરતા રહ્યા. રંજનાએ ફરીથી કોર્ટનો સંપર્ક કર્યો અને પછી ફોટા અને દસ્તાવેજો બતાવ્યા ત્યારબાદ ઉદિતે લગ્નની વાત સ્વીકારી હતી. આ પછી કોર્ટે તેમને બન્ને પત્નીઓને સાથે રહેવાનો આદેશ આપ્યો હતો.
લગ્ન થયા હોવા છતાં અને પરિણીત હોવા છતા ઉદિત નારાયણે વર્ષ 1985માં દીપા નારાયણ સાથે સાત ફેરા લીધા. દીપા અને ઉદિતનો એક પુત્ર આદિત્ય નારાયણ છે તે પણ તેના પિતાની જેમ પ્લેબેક સિંગર છે. તે પિતાના જન્મદિવસ પર જ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.