30 March, 2020 02:47 PM IST | Mumbai Desk | IANS
અક્ષયકુમારે તાજેતરમાં જ પ્રાઇમ મિનિસ્ટરના સિટિઝન અસિસ્ટન્સ ઍન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચુએશન ફન્ડમાં ૨૫ કરોડનું દાન કરવાનું ખરું કારણ ટ્વિન્કલ ખન્નાએ જણાવ્યું હતું. આ ધનરાશિ આપવા સંદર્ભે અક્ષયકુમાર સાથે થયેલી ચર્ચા વિશે ટ્વિટર પર ટ્વિન્કલ ખન્નાએ ટ્વીટ કર્યું હતું કે આ માણસ ખરેખર મને ખૂબ ગર્વ અપાવે છે. મેં જ્યારે અક્ષયકુમારને પૂછ્યું કે શું ખરેખર આટલી મોટી રકમ આપશે, કેમ કે આટલી રકમ આપણે ભેગી કરવી પડશે. તો અક્ષયકુમારે કહ્યું કે મેં જ્યારે કરીઅરની શરૂઆત કરી ત્યારે મારી પાસે કંઈ નહોતું. આજે જ્યારે મારી પાસે ઘણુંબધું છે તો હું પાછીપાની કઈ રીતે કરી શકું? મારાથી શક્ય હશે એટલું હું એ લોકો માટે કરવા માગું છું જેમને ખરા અર્થમાં જરૂર છે.
ટ્વિન્કલને પગમાં ઈજા થતાં હૉસ્પિટલ લઈ ગયો અક્ષયકુમાર
ટ્વિન્કલ ખન્નાને પગમાં વાગી જતાં અક્ષયકુમાર પોતે કાર ડ્રાઇવ કરીને હૉસ્પિટલમાં લઈ ગયો હતો. અક્ષયકુમારે મોં પર માસ્ક લગાવ્યો છે. કાર ચલાવતી વખતનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટ્વિન્કલે કૅપ્શન આપી હતી કે હું હૉસ્પિટલમાંથી પાછી આવી રહી છું, તમામ રસ્તાઓ સૂમસામ છે. તમે લોકો જરા પણ ચિંતા કરતા નહીં. મેં બકેટને લાત નથી મારી, કારણ કે હું કોઈને પણ મારી નથી શકતી.