કૅનેડામાં સેટલ થવાનો ઑપ્શન હતો, પરંતુ મેં એ નહોતો સ્વીકાર્યો : બાદશાહ

03 March, 2021 12:25 PM IST  |  Mumbai | Agencies

કૅનેડામાં સેટલ થવાનો ઑપ્શન હતો, પરંતુ મેં એ નહોતો સ્વીકાર્યો : બાદશાહ

કૅનેડામાં સેટલ થવાનો ઑપ્શન હતો, પરંતુ મેં એ નહોતો સ્વીકાર્યો : બાદશાહ

બાદશાહનું કહેવું છે કે તેની પાસે કૅનેડા સેટલ થવાનો ઑપ્શન હતો પરંતુ તેણે એને પસંદ નહોતો કર્યો. તેણે હાલમાં જ રવિ દુબે અને સરગુન મેહતાના ટીવી-શો ‘ઉદારિયાં’ના પ્રોમો માટે રૅપ-સૉન્ગ ગાયું છે. આ શો પંજાબથી કૅનેડા માઇગ્રેટ થનાર લોકો પર આધારિત છે. આ વિશે વાત કરતાં બાદશાહે કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિના પોતાના વિચારો અને વ્યુ હોય છે. હું ચંડીગઢ અને પંજાબમાં ખુશ છું અને એને છોડવા નથી માગતો. આ મારી ચૉઇસ છે. આખરે આ લોકોનો વ્યક્તિગત વિષય છે. જો કોઈએ કૅનેડા માઇગ્રેન્ટ થવું હોય તો એ તેમની ચૉઇસ છે અને હું એનો રિસ્પેક્ટ કરું છું. મારી પાસે પણ કૅનેડામાં સેટલ થવાનો ઑપ્શન હતો, પરંતુ મેં એ નહોતો સ્વીકાર્યો.’

bollywood bollywood ssips bollywood news badshah entertainment news