તાન્હાજીનો પહેલા દિવસનો બિઝનેસ ૧૫.૧૦ કરોડ રૂપિયા, અને છપાકએ ૪.૭૭ કરોડ

12 January, 2020 10:38 AM IST  |  Mumbai Desk

તાન્હાજીનો પહેલા દિવસનો બિઝનેસ ૧૫.૧૦ કરોડ રૂપિયા, અને છપાકએ ૪.૭૭ કરોડ

અજય દેવગનના કરીઅરની ૧૦૦મી ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયરે પહેલાં દિવસે ૧૫.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ અને સૈફ અલી ખાન પણ મહત્ત્વના પાત્રમાં છે. ફિલ્મનો ક્રિટીક્સ અને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. શનિવાર અને રવિવાર દરમ્યાન આ આંકળો પચાસ કરોડને પાર કરી જશે એવી આશા રાખવામાં આવી રહી છે. બીજી તરફ દીપિકા પાદુકોણની ‘છપાક’એ પહેલાં દિવસે ૪.૭૭ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. ઍસિડ-અટૅક ર્સ્વાઇવર લક્ષ્મી અગરવાલના જીવન પરથી પ્રેરિત આ ફિલ્મને ઘણી જગ્યાએ ટેક્સ-ફ્રી જાહેર કરવામાં આવી છે. દીપિકા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને પણ શનિવાર અને રવીવાર દરમ્યાન સારો એવો બિઝનેસ મળશે એવી આશા રાખવામાં આવી રહી છે.

જેએનયુમાં થયેલી હિંસાને લઈને ફિલ્મની રિલીઝના પહેલા જ દિવસે કમેન્ટ કરી અજય દેવગને
મોટાભાગે સેલિબ્રિટીઝ તેમની ફિલ્મની રિલીઝ પહેલાં કોઈ પણ વિવાદમાં પડવા નથી માગતા હોતા. જોકે દીપિકા પાદુકોણ બાદ અજય દેવગને પણ આ રિસ્ક ઉઠાવ્યું છે. ફિલ્મની રિલીઝના થોડા દિવસ અગાઉ જ દીપિકાએ જેએનયુમાં હાજરી આપી હતી. જોકે એને લીધે એની ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. દીપિકાની ‘છપાક’ની સાથે અજય દેવગનની ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ પણ રિલીઝ થઈ છે. શુક્રવારે ફિલ્મ રિલીઝ થવાની સાથે જ અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘મેં હંમેશાંથી એમ જ કહ્યું છે કે આપણે સત્ય શું છે એ પહેલાં જાણવા માટે રાહ જોવી જોઈએ. હું દરેક વ્યક્તિને એક જ વિનંતી કરું છું કે આપણે શાંતિ અને ભાઈચારાને આગળ વધારીએ. જાણતા-અજાણતામાં આપણે એનાથી દૂર જવાની જરૂર નથી.’

ajay devgn deepika padukone bollywood bollywood news bollywood gossips