કદી ન કર્યું હોય એવું કામ કરવામાં માને છે સ્વરા ભાસ્કર

26 January, 2021 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કદી ન કર્યું હોય એવું કામ કરવામાં માને છે સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરે તેની આગામી વેબ-સિરીઝ ‘આપકે કમરે મેં કોઈ રહતા હૈ’ વિશે જણાવ્યું હતું કે તેણે એવી વસ્તુઓ પર હાથ અજમાવ્યા છે જે તેણે કદી પહેલાં ન કરી હોય. તેનું માનવું છે કે એમ કરવાથી કામ પ્રત્યેની થ્રિલ અને પૅશન જળવાઈ રહે છે. આ હૉરર-કૉમેડીમાં સ્વરાએ પાંચ અલગ-અલગ લુક અપનાવ્યા છે. એને લઈને સ્વરાએ કહ્યું હતું કે ‘આવું કરવાનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે જે પહેલાં કદી ન કર્યું હોય એવું કરવું. મને લાગે છે કે એમ કરવાથી કામને જીવંત રાખવાની થ્રિલ અને પૅશન જળવાઈ રહે છે. મેં ‘આપકે કમરે મેં કોઈ રહતા હૈ’ માટે અનેક લુક્સ ટ્રાય કર્યા હતા, જે મારા માટે એક્સાઇટિંગ હતા. મને મારા ક્રૉપ લુક માટે વાળ કાપવાના હતા. જોકે હું અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરતી હોવાથી મારા માટે એ શક્ય નહોતું. એથી મેં પાંચ વિગ્સ ટ્રાય કરી અને એ લુકને મૅચ કરવા માટે આંખનો કલર પણ બદલાવ્યો હતો. મેં આવો લુક શું કામ કર્યો એની પાછળ પણ એક ટ્વિસ્ટ છે. એ જાણવા માટે તમારે આ શો જોવો પડશે.’

entertainment news bollywood bollywood news swara bhaskar