01 December, 2020 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સિદ્ધાર્થ ગુપ્તા (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુને લગભગ છ મહિના થવા આવ્યા પણ ફૅન્સ અને મિત્રોના મનમાં આઘાત હજી પણ તેમનો તેમ છે. અભિનેતાના મોતથી એક સમયના તેના રૂમમેટ સિદ્ધાર્થ ગુપ્તા (Siddharth Gupta) પણ જાણે હજી આઘાતમાંથી બહાર નથી આવ્યો. તેણે અનેકવાર સોશ્યલ મીડિયામાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સુશાંતની ખોટ હંમેશાં વર્તાશે. હાલમાં જ સિદ્ધાર્થે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંતનો અંતિમ મેસેજ એક મિત્રના માધ્યમથી મળ્યો હતો અને ત્યારે જ શંકા હતી કે સુશાંતના જીવનમાં કંઈક ગડબડ ચાલે છે.
સિદ્ધાર્થ ગુપ્તાએ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપુતે તેમના કોમન ફ્રેન્ડ કુશાલ ઝવેરીને કહ્યું હતું કે તે આધ્યાત્મિકતા પર કામ કરે છે અને ટૂંક સમયમાં તેઓ મળશે. વધુમાં કુશાલે કહ્યું હતું કે તે ભૂતકાળના દિવસોને યાદ કરતો હતો’.
આગળ તેણે કહ્યું હતું કે, ‘સુશાંતના મોતથી ઘણુ જ દુઃખ થયું હતું. અમારા માટે આ એક બહુ જ મોટું નુકસાન હતું. તે જે પણ કરતો, હું તેને ફોલો કરતો હતો. જોકે, તે જીવનમાં ઘણો જ આગળ વધી ગયો હતો અને બીજા લોકોની સાથે રહેતો હતો. જ્યારે મને તેના મોતના સમાચાર મળ્યા ત્યારે મને કુશાલ સાથે થયેલી વાતચીત યાદ આવી ગઈ હતી. મને લાગે છે કે સુશાંતના જીવનમાં કંઈક તો ગડબડ છે. ત્યારબાદ કુશાલે સિદ્ધાર્થને મેસેજ કર્યો હતો કે ટૂંક સમયમાં મળીશું અને ભૂતકાળમાં જે કરતાં હતાં તે સાથે મળીને કરીશું.
સિદ્ધાર્થે કહ્યું હતું કે, તે સુશાંતના જીવનમાં કોઈ દખલગીરી કરવા માગતો નહોતો. તે સુશાંતને મળવા માગતો હતો અને પૂછવા માગતો હતે કે આખરે તેના જીવનમાં શું ચાલે છે. જોકે, તેની પાસે નંબર નહોતો અને તેણે કુશાલ પાસે નંબર માગ્યો હતો. પણ તેમણે ક્યારેય આવું કંઈ થશે તે વિચાર્યું નહોતું.
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.