અર્નબ ગોસ્વામી સામે ૨૦૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો સંદીપ સિંહે

16 October, 2020 07:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્નબ ગોસ્વામી સામે ૨૦૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો સંદીપ સિંહે

સંદીપ સિંહ

સંદીપ સિંહે રિપબ્લિક ન્યુઝ અને એના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો છે. સાથે જ કેટલાક પત્રકારો વિરુદ્ધ પણ કેસ કર્યો છે. આ બધાએ સુશાંત સિંહ રાજપૂતના અવસાન માટે સંદીપ સિંહને જવાબદાર ગણ્યો હતો. સુશાંતે 14 જૂને સુસાઇડ કર્યું હતું. આ મામલાની સીબીઆઇએ પણ તપાસ કરી હતી. અનેક લોકોનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. સંદીપ સંબંધિત સ્ટિંગ ચલાવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ રિપબ્લિક ટીવી સહિત અનેક ચૅનલોનાં નામ ટીઆરપીને લઈને કરવામાં આવેલા કૌભાંડમાં ઉજાગર થયાં હતાં. એવામાં આ ચૅનલ્સ માટે કપરી સ્થિતિ આવી પડી છે, જ્યારે સંદીપે તેમને લીગલ નોટિસ મોકલી છે. એ નોટિસને સંદીપે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. નોટિસમાં લખવામાં આવ્યું છે કે અર્નબે પોતાના ફાયદા માટે તેના વિશે ખોટા સમાચારો દેખાડીને તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં, સંદીપે એ બધા પાસે જાહેરમાં માફી માગવાની સાથે જ 200 કરોડ રૂપિયા વળતર પેટે આપવાની માગણી કરી છે. એ નોટિસમાં એ તમામ વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ન્યુઝ ચૅનલ્સ પર દેખાડવામાં આવી હતી. એ બધી ખબરોને સંદીપે પાયાવિહોણી જણાવી છે. આ લીગલ નોટિસને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંદીપે કૅપ્શન આપી હતી કે હવે પૈસા લેવાનો સમય છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput arnab goswami