19 September, 2020 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નગમા
કૉન્ગ્રેસ લીડર નગમાનું કહેવું છે કે બૉલીવુડના ડ્રગ્સ માફિયાની સ્ટોરી જણાવીને સુશાંતના કેસ પરથી લોકોનું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. એ વિશે ટ્વિટર પર નગમાએ ટ્વીટ કર્યું હતું કે ‘સીબીઆઇ, એનસીબી, ઈડી પ્લીઝ બીજેપી નેતાઓ અને જયા પ્રદાજીને જવાબ આપો કે સુશાંતના નિધનના કેસમાં શું ચાલી રહ્યું છે. ફેંસલાની રાહ જોવામાં ખૂબ સમય પસાર થઈ ગયો છે, પરંતુ પરિણામ કંઈ નથી મળ્યું. અચાનક બધાને કવર કરવામાં આવી રહ્યા છે. બીજેપીના સદસ્યો બૉલીવુડમાં ડ્રગ્સ વિશે બોલી રહ્યા છે. દેશ આખો સુશાંતના નિધનના કેસ વિશે જાણવા આતુર છે.’