સુશાંતનાં અવસાનને લઈને પાયલ ઘોષે કહ્યું...

11 September, 2020 07:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંતનાં અવસાનને લઈને પાયલ ઘોષે કહ્યું...

પાયલ ઘોષ

સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ પર સવાલ ઉઠાવતાં પાયલ ઘોષે જણાવ્યું છે કે જેને મૃત્યુનો ભય હોય તે સુસાઇડ કેવી રીતે કરી શકે છે? સુશાંત અને પાયલ એક જ જિમમાં જતાં હતાં. તેનું એમ કહેવું છે કે સુશાંત શરમાળ અને દિલથી સારો વ્યક્તિ હતો. તાજેતરમાં જ તેના પ્રિસ્ક્રિપ્શનને લઈને ચર્ચા ચાલી રહી હતી. એ વિશે પાયલે કહ્યું હતું કે ‘સુશાંત જે દવાઓ લેતો હતો મેં તેનું પ્રિસ્ક્રિપ્શન ટીવી પર જોયું હતું. આ પૅનિક અટૅક અને વ્યગ્રતાની સામાન્ય દવાઓ છે. જે વ્યક્તિને પૅનિક અટૅક્સ આવે છે તેને મોતનો ભય સતાવે છે. આ બાબત હું મારા પર્સનલ અનુભવને કારણે કહી રહી છું, કારણ કે હું પણ આ સ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું. એક વાત નથી સમજાતી કે જે વ્યક્તિને મરવાનો ડર સતાવતો હોય તે સુસાઇડ કેવી રીતે કરી શકે છે? તેનું નિધન તો મારા માટે આજે પણ એક રહસ્ય જ છે. મને એ માનવામાં નથી આવતું કે તે ડિપ્રેશનનો શિકાર હતો. મેં જ્યારે તેના નિધનનાં સમાચાર જોયા તો મને વિશ્વાસ નહોતો બેસતો. પહેલાં તો મને એમ લાગ્યું કે આ એક અફવા હશે.’ 

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty