પુરાવાના અભાવે સુશાંતના કેસની તપાસ પર માઠી અસર પડી છે: શેખર સુમન

29 November, 2020 06:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુરાવાના અભાવે સુશાંતના કેસની તપાસ પર માઠી અસર પડી છે: શેખર સુમન

શેખર સુમન

શેખર સુમનનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં પૂરતા પુરાવા ન હોવાથી તપાસ પર અસર પડી છે. સુશાંતે ૧૪ જૂને સુસાઇડ કરી હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી કેટલીયે સેલિબ્રિટીઝ અને તેની ફૅમિલીની જુબાની નોંધવામાં આવી છે. આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. કેસને લઈને પોતાના વિચાર વ્યક્ત કરતાં ટ્વિટર પર શેખર સુમને ટ્વીટ કર્યું હતું કે ‘મને લાગે છે કે સુશાંતના કેસમાં ત્રણેય વિભાગ જેવા કે સીબીઆઇ, એનસીબી અને ઈડીએ પ્રશંસનીય કામગીરી કરતાં તપાસ કરી અને ધરપકડ પણ કરી છે. જોકે મને લાગે છે કે પુરાવાના અભાવે તેઓ પણ નિઃસહાય છે. એથી હવે આપણે માત્ર રાહ જોવાની રહેશે. કદાચ તેઓ લક્કી બની જાય.’

entertainment news bollywood bollywood news shekhar suman sushant singh rajput