કેમ સની લિયોની અચાનક ભારત છોડીને અમેરિકા જતી રહી, આ છે કારણ

13 May, 2020 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેમ સની લિયોની અચાનક ભારત છોડીને અમેરિકા જતી રહી, આ છે કારણ

સની લિયોની બાળકો સાથે

દેશમાં વધતા કોરોના વાઈરસના કેસને જોતા સરકારે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. હાલ આ સમયે લૉકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. સરકારે બધાને ઘરમાં રહેવાની અપીલ કરી છે, જેથી આ મહામારીથી છૂટકારો મળી શકે. આવા હાલ વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે સની લિયોની ફેમિલી સાથે ભારત છોડીને અમેરિકા પહોંચી ગઈ છે અને આ સમાચાર એણે પોતે સોશિયલ મીડિયા દ્વારા ફૅન્સ સુધી પહોંચાડ્યા છે. વધુમાં એણે જણાવ્યું કે અમે ત્યા વધારે સુરક્ષિત છીએ.

સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ત્રણે બાળકો સાથે એક તસવીર શૅર કરી છે. એની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'તમામ માતાઓને હેપ્પી મધર્સ ડે'. જ્યારે બાળકો તમારા જીવનમાં આવે છે, ત્યારે તમે તમારી પ્રાથમિકતાઓ અને વિચારોને પાછળ મૂકીને તેમના વિશે વિચારો છો. અમે અમારા બાળકોને ત્યાં લઈ આવ્યા છે જ્યાં અમને લાગે છે કે આ અદૃ્શ્ય જીવલેણ વાઈરસથી વધારે સુરક્ષિત રહીશું. ઘરથી દૂર લૉસ એન્જલસમાં અમારો સીક્રેટ ગાર્ડન છે. મને ખબર છે કે મારી માતા પણ આવું જ ઈચ્છતી હતી. તમારી યાદ આવે છે મૉમ'. 'હેપ્પી મધર્સ ડે'.

પતિ ડેનિયલ વેબરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે. એની સાથે લખ્યું છે, 'ક્વૉરન્ટાઈન પાર્ટ 2 એટલો ખરાબ નથી. એ સિવાય એમણે એ પણ લખ્યું છે કે નવા વાઈબ્સ સાથે સારું થઈ રહ્યું છે. એમની પોસ્ટ પર એક યૂઝરે પૂછ્યું કે કેવી રીતે? તમે કેએલએમ કે એર ઈન્ડિયાની ફ્લાઈટ લીધી. એના પર ડેનિયલે કહ્યું, કેએલએમ ગર્વમેન્ટ ફ્લાઈટ.

સની લિયોની અને ડેનિયલ વેબરને ત્રણ બાળકો છે નિશા, અશર અને નોહ. વર્ષ 2017માં તેમણે દીકરી નિશાને મહારાષ્ટ્રના લાતૂર વિસ્તારથી દત્તક લીધી હતી. એ સિવાય બન્ને દીકરા અશર અને નોહ છે, જે સરોગેસીથી થયા છે.

sunny leone bollywood news entertainment news lockdown