ભૂષણકુમાર ને સચ મેં પાપા કા નામ રોશન કર દિયા હૈ

24 April, 2024 06:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર રાવના ગીતને લૉન્ચ કર્યા બાદ ગુલશનકુમારને યાદ કરીને આમિર ખાને કહ્યું...

આમિર ખાન , રાજકુમાર રાવ , ભૂષણકુમાર

આમિર ખાનનું કહેવું છે કે ભૂષણકુમારે સાચે જ તેના પિતાનું નામ રોશન કર્યું છે. રાજકુમાર રાવની ‘શ્રીકાંત’માં આમિરની ‘કયામત સે કયામત તક’ના ગીત ‘પાપા કેહતે હૈ’નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મને ભૂષણકુમારે પ્રોડ્યુસ કરી છે. આ ગીતને આમિરે લૉન્ચ કર્યું હતું. આ દરમ્યાન ગુલશનકુમારને યાદ કરતાં આમિરે કહ્યું હતું કે ‘ભૂષણકુમારને સચ મેં પાપા કા નામ રોશન કર દિયા હૈ. ગુલશનજીના મૃત્યુ બાદ તેણે ખૂબ જ નાની ઉંમરે બિઝનેસ સંભાળી લીધો હતો. એક દીકરા તરીકે તેણે બિઝનેસને તો આગળ વધાર્યો જ છે, પરંતુ મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીને પણ આગળ લઈ ગયો છે. તેણે ઘણા યુવાન મ્યુઝિશ્યનને તક આપી છે, આ ખૂબ જ સારી વાત કહેવાય છે.’

entertainment news bollywood buzz bollywood news bollywood bhushan kumar rajkummar rao aamir khan