કેટલાક લોકો મને સલાહ આપે છે કે હું મોં પર તાળું લગાવું : અમિતાભ બચ્ચન

16 January, 2021 03:43 PM IST  |  Mumbai | Agency

કેટલાક લોકો મને સલાહ આપે છે કે હું મોં પર તાળું લગાવું : અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે કેટલાક લોકો તેમને મોં પર તાળું લગાવવાની સલાહ આપે છે. ટ્વિટર પર તેમના ફૅને ટ્વીટ કર્યું હતું કે ‘જો દુનિયા વિશ્વાસ પર ચાલતી તો આજે કોઈના દરવાજા પર તાળું ન લાગતું હોત.’

તો તેના ટ્વીટ પર રિપ્લાય આપતાં ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ભાઈસાહેબ, અમે ઇલાહાબાદમાં એવા પણ દિવસો જોયા છે જ્યારે અમારા ઘરને કદી પણ તાળુ નહોતાં લગાવતાં. સાથે જ ઘરનો ગેટ પણ કદી બંધ નહોતો રહેતો, એ હંમેશાં ખુલ્લો જ રહેતો હતો. હા, જોકે હવે એવું શક્ય નથી. આજકાલ તો સલાહ આપનારા લોકો એમ પણ કહે છે કે મારે મારી જીભને પણ તાળું લગાવી દેવું જોઈએ.’

amitabh bachchan bollywood bollywood news