20 February, 2019 11:33 AM IST |
સિંગર ખૈયામ
ખૈયામે તેમના જન્મદિવસે પુલવામા ટેરર અટૅકમાં શહીદ થયેલા જવાનોને પાંચ લાખ રૂપિયાનું દાન કર્યું છે. સોમવારે ખૈયામની ૯૨મી વરસગાંઠ હતી. તેઓ તેમનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા નહોતા માગતા અને એથી જ તેમણે પાંચ લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ વિશે જણાવતાં ખૈયામે કહ્યું હતું કે ‘પુલવામામાં જે થયું એનું મને ખૂબ જ દુ:ખ છે અને એથી જ મને મારો જન્મદિવસ સેલિબ્રેટ કરવાની ઇચ્છા નહોતી થઈ. શહીદોના પરિવાર પ્રત્યે મને સહાનુભૂતિ છે. હું આશા રાખું છું કે ભારત સરકાર આ ઇશ્યુનો જલદી ઉકેલ લાવશે. અમે આ માટે પ્રાઇમ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં પાંચ લાખ રૂપિયાનું દાન કર્યું છે. શહીદોની ફૅમિલીના સપોર્ટ માટે અમે હજી અમારા ટ્રસ્ટ દ્વારા મદદ કરીશું.’