મરજાવાં માટે અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનથી પ્રેરિત થયો હતો સિદ્ધાર્થ

15 November, 2019 10:18 AM IST  |  Mumbai

મરજાવાં માટે અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનથી પ્રેરિત થયો હતો સિદ્ધાર્થ

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રાનું કહેવું છે કે ‘મરજાવાં’માં પોતે ભજવેલું પાત્ર અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનથી પ્રેરિત છે. આ
ફિલ્મમાં તારા સુતરિયા અને રિતેશ દેશમુખ પણ જોવા મળી રહ્યાં છે. પોતાની ભૂમિકા વિશે વધુ જણાવતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘તમે રિયલ લાઇફમાં લાર્જર-ધૅન-લાઇફ જેવી બાબતો ન કરી શકો. ફિલ્મમાં હું એકસાથે એક જ સમયે ૧૦ લોકો સાથે ફાઇટિંગ કરું છું અને તોડફોડ પણ કરું છું. હું અમિતાભ બચ્ચન સા’બ અને શાહરુખ ખાન સરનો ફૅન રહ્યો છું. તેમણે પોતાની કરીઅરમાં આવા રોલ્સ સફળતાપૂર્વક ભજવ્યા છે. તેમની પાસેથી જ મને પ્રેરણા મળી છે. એથી મારા ઝોનમાં હું કંઈક ઇન્ટરેસ્ટિંગ કરી શકું. મારા મતે ફિલ્મોમાં તમે જે કંઈ પણ કરો એ દર્શકોને ફિલ્મ જોતી વખતે યોગ્ય અને વિશ્વાસપાત્ર લાગે એવું હોવું જોઈએ.’

sidharth malhotra Shah Rukh Khan amitabh bachchan