04 October, 2019 02:14 PM IST | મુંબઈ ડેસ્ક
તારા સુતરિયા સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં જ પોતાના ચાહકો માટે એક ધમાકેદાર ફિલ્મ 'મરજાવા' લઇને આવી રહ્યો છે. તાજેતરમાં જ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થઈ ચૂક્યું છે જેને ખૂબ જ થોડાં જ સમયમાં અનેક મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, આ ગીતમાં તારા અને સિદ્ધાર્થ વચ્ચેની સરસ કેમેસ્ટ્રી જોવા મળે છે.
આ સુંદર ગીતની માહિતી આપતાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં સિદ્ધાર્થ લખે છે, "ઇરાદે ફિર સે જાને કે નહીં લાના, તુમ નહીં જાના, ફિલ્મનું મારું સૌથી મનગમતું ગીત."
ગીત તુમ નહીં જાનામાં ઝુબીન નૌટિયાલે પોતાનો સ્વર આપ્યો છે. આ ગીતમાં તારા અને સિદ્ધાર્થની સરસ લવસ્ટોરી સાથે સાથે જુદા થવાની સ્ટોરી પણ દેખાય છે. ગીતને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યું છે. રિલીઝ થતાં જ થોડાંક જ સમયમાં તુમ નહીં જાનાને અનેક લાઇક્સ મળી ચૂક્યા છે.
થોડાંક દિવસ પહેલા જ ફિલ્મ 'મરજાવા'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જ્યાં એક તરફ સિદ્ધાર્થના ડાયલૉગ્સ અને સ્ટોરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ટ્રેલરનો મજાક ઉડાડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો
મિલાપ જાવેરી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મરજાવા'ની રિલીઝ ડેટ પહેલા 2 ઑક્ટોબર રાખવામાં આવી હતી, પણ 'વૉર' ફિલ્મના કારણે તેને બદલીને 8 નવેમ્બર કરી દેવામાં આવી. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા સાથે રિતેશ દેશમુખ અને રકુલપ્રીત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિતેશ દેશમુખ આ ફિલ્મમાં એક વિલનની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં નોરા ફતેહીનું એક આઇટમ સોન્ગ મસક્કલી પણ થવાનું છે.