09 September, 2020 06:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુશાંત સિંહ રાજપૂત
‘નાગિન 3’માં જોવા મળેલો ઝુબેર કે. ખાન હવે સુશાંત સિંહ રાજપૂતની લાઇફ પરથી પ્રેરિત ફિલ્મમાં જોવા મળશે. ‘ન્યાય : ધ જસ્ટિસ’ને સુશાંતની એક્સ-મૅનેજર શ્રુતિ મોદીની વકીલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. સુંશાતના સુસાઇડ કેસમાં ચાલી રહેલા ઇન્વેસ્ટિગેશનમાં શ્રુતિ મોદીને રેપ્રિઝેન્ટ અશોક એમ. સરાઓગી કરી રહ્યા છે. તેની પત્ની સરલા આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરી રહી છે. આ વિશે ઝુબેરે કહ્યું હતું કે ‘આ ફિલ્મની સ્ટોરી મોટા ભાગે રિયા ચક્રવર્તી અને સુશાંતની લાઇફની આસપાસ ફરતી જોવા મળશે. તેમની કેમિસ્ટ્રી, તેમની રિલેશનશિપ અને તેમની સાથે રહેવા જેવી દરેક બાબતનો સમાવેશ કરવામાં આવશે. ‘ન્યાય : ધ જસ્ટિસ’ ફક્ત સુશાંત વિશે જ નથી, પરંતુ રિયાને ન્યાય મળે એ માટે પણ છે. આ કેસમાં જે લોકો છે એ દરેક માટે ન્યાયની એમાં વાત કરવામાં આવી છે. હું સુશાંતનું પાત્ર ભજવીશ. મને ખુશી છે કે હું તેનું પાત્ર ભજવી રહ્યો છું. અમે હાલમાં ટચમાં નહોતા, પરંતુ પાંચ વર્ષ પહેલાં અમે હતા. જોકે આ ફિલ્મમાં મારા પાત્રનું નામ સુશાંત નહીં હોય. આ ફિલ્મ મારું સુશાંતને ટ્રિબ્યુટ હશે.’
સુશાંતના કેસમાં હાલમાં ડ્રગનો ઍન્ગલ આવ્યો છે જેની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો તપાસ કરી રહ્યું છે. આ વિશે પૂછતાં ઝુબેરે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં કોઈ ડ્રગ ઍન્ગલ નથી, કારણ કે આ ફિલ્મ સુશાંત અને રિયાના પ્રેમ વિશે અને એમાં આવતા ઉતાર-ચડાવ વિશે છે. જોકે સીબીઆઇ અને મુંબઈ પોલીસ દ્વારા જે પણ ડીટેલ જાહેર કરવામાં આવશે એનો સમાવેશ કરવામાં આવશે. સુશાંતની લાઇફમાં જે પણ નેગેટિવ બાબત છે એનો આ ફિલ્મમાં સમાવેશ કરવામાં નહીં આવે.’